એપશહેર

રાજકોટ અગ્નિકાંડ: 7 દર્દીઓને ખભે ઊંચકીને જીવ બચાવનાર બહાદુર યુવક કોણ છે?

અજય વાઘેલા નામનો આ કર્મચારી ત્યાંના કોરોનાગ્રસ્ત 7 દર્દીઓને વારાફરતી ખભા પર ઊંચકીને લઈ ગયો હતો. તેણે દર્દીઓને વારાફરતી અગાસીમાં સલામત જગ્યાએ પહોંચાડ્યા હતા.

I am Gujarat 27 Nov 2020, 6:29 pm
રાજકોટ: રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગની ઘટના બની, હોસ્પિટલમાં લાગેલી આગની આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 જેટલા દર્દીઓના મોત નિપજયા છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ ICUની અંદર સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન ICUમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જેમાં 11 પૈકીના 5 જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
I am Gujarat q6


ત્યારે આગની આ ઘટનામાં અજય વાઘેલા નામના કર્મચારીએ 7 લોકોના જીવ બચાવ્યો છે. અજય વાઘેલા નામનો આ કર્મચારી ત્યાંના કોરોનાગ્રસ્ત 7 દર્દીઓને વારાફરતી ખભા પર ઊંચકીને લઈ ગયો હતો. તેણે દર્દીઓને વારાફરતી અગાસીમાં સલામત જગ્યાએ પહોંચાડ્યા હતા. આ રીતે ઉદય કોવિડ હોસ્પિટલમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા અજય વાઘેલા નામના કર્મચારીએ બહાદુરીનું કામ કર્યું હતું.

રાજકોટની આ કોવિડ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળ પર આગ લાગતા અજય વાઘેલા નામના હોસ્પિટલના એક કર્મચારી ત્યાંના કોરોનાગ્રસ્ત 7 દર્દીઓને વારાફરતી ખભા પર ઊંચકીને અગાશી પર મૂકી આવ્યો હતો. આ રીતે હોસ્પિટલના કુલ 7 દર્દીઓનો બચાવ થયો હતો. સરકારી અધિકારીઓએ અજય વાઘેલાની બહાદુરી અને હિંમતની પ્રશંસા કરી હતી.

આ વિશે મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે, ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે. CM દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જે કોઈ પણ આ ઘટના મામલે દોષી હશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ સમગ્ર ઘટના મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. FSL અને અન્ય પુરાવાના આધારે તપાસ કરવામાં આવશે.

Read Next Story