એપશહેર

જુનાગઢ: સ્વામિનારાયણ મંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત, કારણ અકબંધ

વિદ્યાર્થીએ સ્વામિનારાયણ મંદિરના રૂમમાં જ જીવન ટૂંકાવ્યું, મૃતક મૂળ અમરેલી જિલ્લાના પીપરીયા ગામનો વતની, સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Agencies 8 Jan 2021, 12:48 pm
જુનાગઢ: જવાહર ચોક પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મંદિરમાં પોતાના રૂમમાં જ આપઘાત કરી લીધો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીપરીયા ગામનો ઉત્સવ ઠુમર હોવાનું જાણવા મળ્યું છે. ઉત્સવે કયા કારણોસર આ પગલું ભર્યું, તે અંગે હજી કોઈ માહિતી મળી નથી. સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
I am Gujarat 6
મૃતક વિદ્યાર્થીની ફાઈલ તસવીર


વિદ્યાર્થીનો મંદિરના રૂમમાં આપઘાત

સ્થાનિક મીડિચા રિપોર્ટ મુજબ આજે સવારે મંદિરના સ્વામી જ્યારે મંગળા આરતી બાદ ઉત્સવના રૂમમાં ગયા હતા ત્યારે ખબર પડી કે તેણે આપઘાત કર્યો છે. ત્યારબાદ મંદિરના અન્ય સંતો અને પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારપછી મૃતક વિદ્યાર્થીના પરિવારને પણ જાણ કરાઈ હતી. ઉત્સવના મોટા પપ્પાના જણાવ્યા અનુસાર ઉત્સવ પાંચ વર્ષથી સ્વામી સાથે રહીને અભ્યાસ કરતો હતો. ઉત્સવને કોરોના થયો ત્યારે તેમને ફોન કરીને કહ્યું હતું કે તબિયત સારી છે, અને આજે સવારે આપઘાત અંગે જાણ થઈ.

ઉત્સવ ટ્યૂશનની તૈયારી કરી રહેલ હોવાનું સામે આવ્યું
રિપોર્ટ મુજબ ઉત્સવ ધોરણ-10માં નાપાસ થયો હોવાથી ફરીથી તૈયારી કરી રહ્યો હતો. દિવાળી પછી ઉત્સવ વેકેશન માટે તેના વતન પીપરીયા ગામ ગયો હતો. આ દરમિયાન તેના દાદા-દાદીનું નિધન થતાં તમામ વિધિ પૂર્ણ કરીને ગયા શનિવારે જ જુનાગઢ પરત આવ્યો હતો. જો કે, આજે વહેલી સવારે જ મંદિરના રૂમ નંબર 15માંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

Read Next Story