એપશહેર

તારામાં સંસ્કાર નથી.. આવડત નથી.. સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ

રાજકોટની પરિણીતાએ લગ્ન પહેલા સપનામાં પણ એવું નહીં વિચાર્યું હોય કે તેને આવા દિવસો જોવાનો વારો આવશે

I am Gujarat 3 Jan 2021, 12:04 pm
રાજકોટઃ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન જીવન સાત જન્મોનું બંધન માનવામાં આવે છે પરંતુ આ લગ્નથી જીવનની નવી શરુઆત કરવાના બદલે રુપિયાની લાલચના કારણે પરિવારોમાં મોટા ભૂકંપ આવવા લાગે છે. દહેજ એક એવું દૂષણ છે કે જેનાથી લગ્ન પછી એક સ્ત્રીનું જીવન દુખદાયક બની જતું હોય છે. રાજકોટમાં વધુ એક દહેજની માગણી સાથે પરિણીતા પર માનસિક અને શારીરિક ત્રાસ આપીને અત્યાચાર ગુજારવાનો કિસ્સો સામે આવ્યો છે.
I am Gujarat a woman complains against husband and in laws for harassing
તારામાં સંસ્કાર નથી.. આવડત નથી.. સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ


સતત દહેજની માગણીના લીધે પરીણિતાએ ફરિયાદ નોંધાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલા પતિ અને સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધવી આવી છે. રિપોર્ટ્સ અનુસાર આંબેડકર નગરમાં સંગીતા મકવાણા નામની પરીણિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ, દિયર અને સાસુ-સસરા સતત મહેણાટોણાં મારતા હતા અને તારામાં સંસ્કાર નથી તેવું કહીને ત્રાસ આપતા હતા. આ સાથે પતિ સહિત સાસરિયા પક્ષવાળા માર મારતા હોવાનું પણ જણાવ્યું છે.

સંગીતાના લગ્ન થયા ત્યારે તેણે વિચાર્યું નહીં હોય કે તેણે સાસરામાં આવા દિવસો પણ જોવાનો વારો આવશે. તેના પતિ અને સાસુ-સસરા તથા દિયર ઘર કામનીની નાની-નાની બાબતોમાં માથાકૂટ કરતા હતા. તને કશું કામ આવતું નથી, તારી માએ સંસ્કાર નથી આપ્યા જેવા મહેણાટોણાં મારતા હતા. આ સિવાય તેની સાથે ખોટી રીતે ઝઘડો કરીને તેને ગાળો દઈને માનસિક ત્રાસ આપતા હતા. આ સિવાય તેને મારી નાખવાની ધમકી આપીને માર પણ મારતા હતા.

તને કશું આવડતું નથી.. તારામાં સંસ્કાર નથી વગેરે કહીને મહિલાને માર મારનારા સાસરિયાંના અત્યાચારોથી કંટાળી ગયેલી મહિલાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. સાસરિયાં સામે કાર્યવાહી કરીને પોલીસે પતિ અરવિંદ મકવાળા, સસરા અરજણભાઈ, સાસુ શાંતુબેન, દિયર જગદિશ અને ગણેશ એમ 5 સામે આઈપીસીની 498(ક), 323, 504 સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

Read Next Story