એપશહેર

પોરબંદર: જંગલમાંથી મહિલા વનકર્મી સહિત 3 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર

પોરબંદરના જંગલ વિસ્તારમાં ગુમ થયેલા મહિલા વનકર્મી, તેમના પતિ અને ચોકીદારના આજે સવારે બરડા ડુંગર વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યા છે.

I am Gujarat 17 Aug 2020, 7:22 pm
પોરબંદર: પોરબંદરના બરડા જંગલ વિસ્તારમાં મહિલા ફોરેસ્ટ ગાર્ડ, તેમના પતિ અને નોકરના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. અહીં નોંધનીય છે કે તારીખ 15 ઓગસ્ટ, સ્વતંત્રા દિવસે ધ્વજ વંદન બાદ બાતમી મળતા હેતલ રાઠોડ (વન રક્ષક પોરબંદર ડિવિઝન) બરડા અભયારણ્ય જંગલ વિસ્તારમાં તેમના પતિ (કે જેઓ શિક્ષક છે) તથા ચોકીદાર સાથે તપાસ માટે ગયા હતા અને સાથે ચોથા વ્યક્તિ પણ હતા. પરંતુ, તેમનો કોઈ પતો નથી. પાપ્ત માહિતી મુજબ ત્રણેયની કુહાડીના ઘા મારીને હત્યા કરાઈ હોવાની આશંકા છે. ત્રણેયના મૃતદેહ ભાણવડ જંગલ વિસ્તારમાંથી મળી આવેલ છે.
I am Gujarat q1

મહિલા ફોરેસ્ટ ગાર્ડ અને તેમના પતિ


છેલ્લા બે દિવસથી ગુમ મહિલા વનકર્મી સહિત 3 લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે. પોરબંદરના જંગલ વિસ્તારમાં ગુમ થયેલા મહિલા વનકર્મી, તેમના પતિ અને ચોકીદારના આજે સવારે બરડા ડુંગર વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યા છે. કાર લઇને જંગલમાં ગયા પછી આ ત્રણેય લોકો ગુમ થયા હતા.

ઉલ્લેખનીય છે કે આ ત્રણેય લોકો પોરબંદરના બરડા ડુંગરમાં ગાડી લઇને ગયા હતા અને પછી ગુમ થયા હતા. ત્યારે વન વિભાગના સ્થાનિક કર્મચારીઓએ ત્રણેયની શોધખોળ કરી હતી પરંતુ મળ્યા નહોતા અને હવે બે દિવસ બાદ આ ત્રણેય લોકોના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા છે. પાપ્ત માહિતી મુજબ ત્રણેયની કુહાડીના ઘા મારીને હત્યા કરાઈ હોવાની આશંકા છે. હેતલબેન પોરબંદરમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓને આઠ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો