એપશહેર

મુકેશ અંબાણીએ પરિવાર સાથે દ્વારકા મંદિરમાં કરી પૂજા અર્ચના

Hitesh Mori | I am Gujarat 1 Jan 2020, 8:39 pm
દ્વારકાઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે દ્વારકા પહોચ્યા હતા. તેમણે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. મુકેશ અંબાણીની સાથે તેમનો પરિવાર અને પુત્રી અને જમાઈ પણ જોવા મળ્યા. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો સુપ્રસિદ્ધ દ્વારિકાધિશ મંદિરમાં અંબાણી પરિવારને ખૂબ જ શ્રદ્ધા છે. આજે મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી, નાનો પુત્ર અનંત અંબાણી સાથે પુત્રી ઈશા અને જમાઈ આનંદ પીરામલે પણ દ્વારિકાધિશની પૂજા અર્ચના કરી આશિર્વાદ મેળવ્યા હતા. અંબાણી પરિવાર આવ્યો હોવાથી મોટી સંખ્યામાં મીડિયા પણ મંદિરે પહોંચી ગયું હતું.
ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર દ્વારિકાધીશના અનન્ય ભક્ત છે અને લગભગ દરેક નાના-મોટા પ્રસંગે તેઓ અચૂક દ્વારિકાધીશના દર્શનાર્થે આવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો