એપશહેર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા 4.5 નોંધાઈ

Tejas Jinger | I am Gujarat 16 Jul 2020, 8:31 am

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણાં ભાગોમાં સવારે 7.40 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાજકોટથી 22 કિલોમીટર દૂર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 નોંધાઈ છે. સવારમાં આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ગભરાહટનો માહોલ સર્જાઈ ગયો છે.

રાજકોટ સિવાય તેની આસપાસના અમરેલી, જેતપુર, સાવરકુંડલા, વડીયા કોટડાસાંગાણી, ગોંડલ વગેરે પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના આંચકા અનુભવાતા ગભરાયેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સવારમાં ભૂંકપ આવ્યો હોવાથી શરુઆતમાં ઘણાં લોકોને ચક્કર આવતા હોવાનો પણ અહેસાસ થયો હતો. જોકે, એક ઘરના તમામ સભ્યોને આ પ્રકારના અનુભવ બાદ આ આંચકા ભૂકંપના હોવાનું માલુમ પડતા લોકો પોતાના ઘરની બહાર ખુલ્લામાં દોડી ગયા હતા.

ભોંયતળીયે રહેતા લોકો કરતા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને ભૂકંપના આંચકાની અનુભૂતિ વધારે થઈ હતી. આ ભૂંકપના આંચકાનું કેન્દ્ર બિંદુ રાજકોટથી ગોંડલ તરફ જવાના માર્ગે 22 કિલોમીટર દૂર હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો