એપશહેર

અમરેલીઃ હત્યાના ગુનામાં પકડાયેલા CAએ 52 સ્નેચિંગ કર્યા હોવાનું કબૂલ્યું

Yogesh Gajjar | TNN 14 Jul 2020, 8:02 am

રાજકોટઃ હત્યાના ગુનામાં પકડાયેલા રાજકોટના 25 વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવકે ગુનામાં સંડોવણી હોવાનું તો સ્વીકાર્યું જ પરંતુ આ સાથે જ તેણે 52 ચેઈન અને મોબાઈલ સ્નેચિંગ કર્યા હોવાનું પણ સ્વીકાર્યું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વૃશાંત ધનેશા ઉર્ફે શ્યામને 30 વર્ષના જીગ્નેશ ઢાકાનની 7મી જૂને સાવરકુંડલા નજીક ઓડિયા ગામના શનિ આશ્રમમાં હત્યા કરવાના આરોપ પકડી લીધો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વૃશાંતે જ જીગ્નેશની હત્યા કરી હતી કારણ કે તેને શંકા હતી કે જીગ્નેશ તેની ચોરી વિશે જાણી ગયો છે અને પોલીસને જાણ કરી દેશે.

અમરેલી એલસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે કરમતાએ કહ્યું, વૃશાંત ઘણીવાર આશ્રમમાં આવતો અને જીગ્નેશનો મિત્ર બની ગયો હતો. સામાન્ય વાતચીતમાં જીગ્નેશે વૃશાંતને તેના કામકાજ વિશે પૂછ્યું હતું. જોકે જીગ્નેશને તેના ગુનાહિત કામકાજ વિશે જાણ થઈ તે બાદ તેને શંકા થવા લાગી.

6 જૂનની સાંજે વૃશાંત ફરી આશ્રમની મુલાકાતે ગયો હતો, જ્યાં જીગ્નેશે ફરી તેના કામકાજ વિશે પૂછતા તેની શંકા ગાઢ બની. જોકે આશ્રમથી પાછા જતા સમયે વૃશાંત તેની બેગ લેવાનું ભૂલી ગયો. તે પાછો આશ્રમ ગયો ત્યાં જીગ્નેશ સૂતો હતો અને તેની બાજુમાં લોખંડનો સળિયો હતો. વૃશાંતે આ સળિયાથી જ જીગ્નેશની ઊંઘમાં હત્યા કરી દીધી.

ઈન્સ્પેક્ટર કરમતાએ કહ્યું, આશ્રમના મહંતે તેને બાઈક પર ભાગતા જોયો. જીગ્નેશ ત્યાં રહેતો હોવાથી અમે તપાસ આશ્રમના પરિસરમાં જ ચાલુ રાખી હતી. અમને જાણવા મળ્યું કે વૃશાંત ઘણીવાર આશ્રમમાં આવતો હતો અને અહીં જ તે જીગ્નેશનો મિત્ર બન્યો હતો. ગુનાના દિવસે પણ વૃશાંત આશ્રમમાં જીગ્નેશને મળવા આવ્યો હતો. અમારી શંકા વધુ ગાઢ બની અને પૂછપરછ દરમિયાન તેણે ગુનો કર્યો હોવાનું કબૂલી લીધું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો