એપશહેર

આ વર્ષે કચ્છમાં માત્ર 26.51% વરસાદ, CM રૂપાણીએ જાહેર કર્યો અછતગ્રસ્ત જિલ્લો

શિવાની જોષી | TNN 21 Sep 2018, 7:57 am
અમદાવાદ: ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છને ‘અછતગ્રસ્ત જિલ્લો’ જાહેર કર્યો. આ વર્ષે ચોમાસા દરમિયાન કચ્છમાં માત્ર 26.51% જ વરસાદ પડ્યો છે. કચ્છ સિવાય જે તાલુકાઓમાં 125 મિલીમીટરથી ઓછો વરસાદ નોંધાયો હોય તે વિસ્તારોને પણ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ભૂજમાં ગુરુવારે રાજ્યમાં પાણીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજાઈ હતી. બેઠક CM રૂપાણીએ કહ્યું કે, “કચ્છ જિલ્લામાં માત્ર 26.51 ટકા વરસાદ નોંધાયો છે એટલે 1 ઓક્ટોબરથી અછતગ્રસ્ત જિલ્લો ગણાશે. સરકારના નિયમો પ્રમાણે જિલ્લાને સબસિડી પણ મળશે.” મુખ્યમંત્રી રૂપાણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “રાજ્યના જે તાલુકાઓમાં 125 મીમીથી ઓછો વરસાદ પડ્યો હોય તેને પણ અછતગ્રસ્ત જાહેર કરાયા છે.” જો કે કેટલા તાલુકાઓ અછતગ્રસ્ત છે તેના આંકડા વિશે મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો નથી. ગૌશાળા અને પાંજરાપોળોને સબસિડી આપવાની અને અસરગ્રસ્ત વિસ્તારોમાં નવા પાંજરાપોળ શરૂ કરવાની જાહેરાત પણ મુખ્યમંત્રી રૂપાણીએ કરી. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે. 296 કરોડ રૂપિયાના ખર્ચે કચ્છમાં પીવાના પાણીની પાઈપલાઈનનો પ્રોજેક્ટ યુદ્ધના ધોરણે પૂરો કરવામાં આવશે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું. આ વર્ષે ચોમાસામાં ગુજરાતમાં 73.87% જ વરસાદ પડ્યો હોવાથી પાણીની તંગી વર્તાઈ રહી છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો