એપશહેર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરને લગાવાયો ભગવો રંગ, રાજકારણ ગરમાતા કરાયો સફેદ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગના સ્ટ્રેટરને ભગવા રંગથી રંગવામાં આવ્યુ છે. ભગવા રંગથી સ્ટ્રેચરને રંગવામાં આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિવાદ થયો હતો અને ભાજપ કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ લગાવતા કહ્યુ હતુ કે, હજુ સ્ટ્રેચર પર ભગવા રંગ લગાવવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં દર્દીને પાટો અને દવા પણ ભગવા રંગની જ આપવામાં આવશે.

Edited byમિહિર સોલંકી | I am Gujarat 27 May 2023, 6:13 pm
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરને લગાવવામાં આવેલા રંગને કારણે રાજકારણ ગરમાયુ છે. સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગના સ્ટ્રેચર પર સફેદને બદલે ભગવો રંગ લગાવવામાં આવતા વિવાદ થયોછે. સિવિલ હોસ્પિટલમાં આશરે 150થી વધુ સ્ટ્રેચર પર ભગવો રંગ લગવવાનું શરૂ કરવામાં આવ્યું હતુ. આ સ્ટ્રેચર પર ભગવો રંગ લગાવવાની વાત વાયુ વેગે સમગ્ર ગુજરાતમાં ફેલાઈ હતી અને સમગ્ર મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા. ત્યારે
I am Gujarat ભગવો રંગ બાદ સફેદ રંગ લગાવાયો
ભગવો રંગ બાદ સફેદ રંગ લગાવાયો

ઈમરજન્સી વોર્ડના સ્ટ્રેચર ગુમ થઈ ના જાય તે માટે તેને ભગવો કલર કરવામાં આવ્યો હોવાનો લૂલો બચાવ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વપરાતા સ્ટ્રેચરને ભગવો કલર કરી દેવામાં આવતા વિવાદ વધ્યો છે. ત્યારે ડૉ.અશ્વિન રામાણીએ જણાવ્યુ હતુ કે, સ્ટ્રેચરનો રંગ સફેદ જ હોવો જોઈએ, પરંતુ ઈમરજન્સી વિભાગના સ્ટ્રેટર વારંવાર ગુમ થઈ જતા હોવાની ફરિયાદ અવારનવાર સામે આવતી હોય છે. ઈમરજન્સી વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા સ્ટ્રેચર ઓળખ માટે આ ભગવો કલર લગાવવામાં આવ્યો છે. જો કે, આ ભગવો કલર યોગ્ય નથી. માટે અમે ફરી સફેદ ક્લર લગાવવાની સૂચના આપી દીધી છે.

ભગવા રંગ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સમાને

સ્ટ્રેચર પર ભગવો રંગ લગાવવામાં આવતા શહેરમાં રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.. સમગ્ર ભગવા પ્રકરણ અંગે મહેશ રાજપૂતે જણાવ્યુ હતુ કે, મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવતી સાયકલો ભગવાની રંગની હોય છે, હોસ્પિટલમાં સ્ટ્રેચર પણ ભગવા રંગના કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે લાગી રહ્યું છે કે, આવનારા દિવસોમાં દર્દીઓને લગાવવામાં આવતા પાટા અને દવા પણ ભગવા રંગની હશે. ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે રંગના નામે રાજનીતિ ન કરવાની કોંગ્રેસને સલાહ આપી અને ભગવા રંગને જ્ઞાતિ-જાતિ, ધર્મ કે સંપ્રદાય સાથે ન જોડવાની પણ વાત કરી. તો સમગ્ર મામલો ધ્યાન પર આવતા હોસ્પિટલ તંત્રએ પોતાની ભૂલ છૂપાવવા પ્રયાસ કર્યો અને ભગવા રંગે રંગાયેલા સ્ટ્રેચરને ફરીવાર સફેદ રંગે રંગી દેવામાં આવ્યા.
લેખક વિશે
મિહિર સોલંકી
મિહિર સોલંકી છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઈન ડેવલોપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે અને દિવ્યભાસ્કર, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ફર્સ્ટ અને વીટીવી ન્યૂઝ સાથે તેમણે અગાઉ કામ કર્યું છે.... વધુ વાંચો

Read Next Story