એપશહેર

જન્માષ્ટમીમાં ભક્તો નહીં કરી શકે દ્વારકાધીશના દર્શન, ચાર દિવસ બંધ રહેશે મંદિર

કોરોના વાયરસનો ચેપ ન ફેલાય તે માટે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ચાર દિવસ દ્વારકા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

I am Gujarat 6 Aug 2020, 10:37 pm
કોરોના વાયરસના કારણે આ વર્ષે દેશભરમાં ઉત્સવોની ઉજવણી રદ કરવામાં આવી રહી છે. હવે જ્યારે ભારતનો સૌથી મોટો જન્માષ્ટમીનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે ભગવાન કૃષ્ણના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતે કૃષ્ણ જન્મના ઉત્સવો રદ છે. તેવામાં ગુજરાતના સુપ્રસિદ્ધ દ્વારકા મંદિરને પણ જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારાકાનું મંદિર જન્માષ્ટમીના ચાર દિવસ 10થી 13 ઓગસ્ટ દરમિયાન બંધ રહેશે.
I am Gujarat coronavirs effect dwarka temple to remain closed for four days of janmashtami
જન્માષ્ટમીમાં ભક્તો નહીં કરી શકે દ્વારકાધીશના દર્શન, ચાર દિવસ બંધ રહેશે મંદિર


ચાર દિવસ બંધ રહેશે દ્વારકાનું મંદિર

મંદિરમાં ભક્તોની ભીડ ન ઉમટે તેના કારણે દ્વારકા મંદિરને ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો મંદિર ખુલ્લુ રાખવામાં આવે તો ભક્તોની ભીડ ઉમટે અને તેનાથી કોરોનાના ચેપનું જોખમ વધી જાય તેને ધ્યાનમાં રાખતા જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લીધો છે. તેથી 10થી 13 ઓગસ્ટ દરમિયાન દ્વારકા મંદિર બંધ રહેશે.

મંદિરમાં પૂજા થશે, સોશિયલ મીડિયામાં લાઈવ સ્ટ્રીમિંગ કરાશે

દ્વારકા મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે પરંતુ મંદિરમાં નિયમિત રીતે પૂજા-આરતી થતી રહેશે. જોકે, ભક્તો માટે રાહતની વાત એ છે કે મંદિરની અંદર થનારી આરતીનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ ભક્તો સોશિયલ મીડિયા પર આરતીનો લાભ લઈ શકશે.

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 67,811 પર પહોંચી

ગુજરાતમાં દિવસેને દિવસે સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1034 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો કુલ આંકડો 67,811 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 27 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 2,584 થયો છે. જો ડિસ્ચાર્જ કેસની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 917 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 50,322 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો