એપશહેર

આવેશમાં આવી ગયેલા રાજકોટનાપ્રેમ પંખીડાએ ખોટું પગલું ભર્યું! યુવકે જીવ ગુમાવ્યો

પ્રેમમાં પાગલ બનેલા બનેલા કપલે તેમના પરિવારની વાત ના માની અને રાત્રે 10:30 વાગ્યે ઘરેથી નીકળી ગયા

I am Gujarat 14 Feb 2021, 4:07 pm

હાઈલાઈટ્સ:

  • રાજકોટમાં પ્રેમમાં અંધ બનેલા જોડાએ ખોટું પગલું ભરી લીધું
  • પરિવાર દ્વારા સમજાવવા છતાં તેમની વાત માનવા તૈયાર ના થયા
  • છોકરીની સ્થિતિ ગંભીર છોકરીએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat couple suicide and youth lost life police trying to solve matters
આવેશમાં આવી ગયેલા રાજકોટનાપ્રેમ પંખીડાએ ખોટું પગલું ભર્યું! યુવકે જીવ ગુમાવ્યો
રાજકોટઃ પ્રેમમાં અંધ બનેલા યુગલને ગમે તેટલું મનાવવા છતાં તેઓ માનવા તૈયાર નથી થતાં, આવા સમયે તેમને જ્યારે વડીલો દ્વારા સમજાવવામાં આવે છતાં તેમને આ બધું માનવામાં નથી આવતું અને તેમને સમજાવનારા લોકોને તેઓ પોતાના પ્રેમના દુશ્મન માની લેતા હોય છે. પરંતુ પ્રેમમાં અંધ બનેલા અને તેમને માત્ર એકબીજાના થઈ જવાનો વિચાર આવતો હોય તેવા યુગલો ખોટું પગલું ભરી લેતા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે જેમાં પ્રેમમાં પાગલ થયેલી છોકરી અને છોકરો સાથે રહી ના શકતા હોવાથી સાથે પોતાનો અંત આણી દેવાનો વિચાર કર્યો. આ બન્ને જણા 18 વર્ષથી નાના હતા માટે તેમના પરિવાર દ્વારા તેમને થોડી રાહ જોવા માટે સમજાવવામાં આવતા હતા. આમ છતાં બન્નેએ પુલ પરથી કૂદવાના કારણે 5 દિવસની કપરી સારવાર બાદ યુવકે જીવ ગુમાવ્યો છે જ્યારે તેની 17 વર્ષની પ્રેમિકા સારવાર હેઠળ છે.
રાજકોટના મોરબી રોડ પર રહેતા રઘુને પ્રીતિ (બન્ને નામ બદલ્યા છે) સાથે પ્રેમ થઈ ગયો હતો. આવામાં રઘુ અને પ્રીતિની ઉંમર 17 વર્ષ કરતા નાની હોવાથી તેમના પરિવાર દ્વારા તેમને હમણા લગ્ન માટે રાહ જોવા જણાવવામાં આવતું હતું, કાયદાકીય રીતે બન્ને પુખ્ત ના હોવાના કારણે તેમને ખોટી જીદ કરવા માટે સમજાવવામાં આવી રહ્યું હતું. આમ છતાં જીદે ચઢેલા પ્રેમી પંખીડા કોઈ રીતે પોતાની વાત માનવા માટે કોઈ તૈયાર ન હોવાનું માનીને જીવન ટૂંકાવવાનો વિચાર કર્યો. આ માટે બન્ને જામનગર બાયપાસ પાસે આવેલા બેડી બ્રીજ પર પહોંચી ગયા હતા. આ ઘટનામાં છોકરો અને છોકરી બન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી.

રાત્રે લગભગ સાડા 10 વાગ્યાના સમયે ઘરેથી નીકળીને ખોટું પગલું ભરનારા રઘુ અને પ્રીતિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાના કારણે પાંચ દિવસ સારવાર ચાલ્યા બાદ છોકરાએ શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે છોકરીની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટના બની તે પહેલા રઘુની પ્રીતિના કાકા સાથે બોલાચાલી થઈ હોવાનું સામે આી રહ્યું છે જેમાં તેમણે રઘુના ટાંટિયા ભાંગી નાખવાની વાત કરી હતી. આ કારણે છોકરાના પરિવારે મૃતદેહનો ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવવાની માંગણી કરી છે. રઘુના પરિવારને હત્યાની આંશંકાના કારણે પોલીસને ફોરન્સિક પોસ્ટમોર્ટમની રજૂઆત કરી હતી.

હવે આ મામલે પોસ્ટમોર્ટમ અને શું બન્નેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી કે નહીં તે તમામ વિષયોની તપાસ કરવામાં આવશે. આ સિવાય રઘુ અને પ્રીતિ ઘરેથી નીકળ્યા ત્યારે કેવી સ્થિતિ હતી અને ઘરથી જામનગર બાયપાસના બેડી પુલ સુધી રસ્તામાં આવતા સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી શકે છે.

Read Next Story