એપશહેર

રાજકોટઃ શ્વાસનળીમાં ફસાઈ ગયું મોતી, ડોક્ટરોએ આપ્યું બાળકીને નવજીવન

અમરેલીનાં સાવરકુંડલામાં રહેતા શ્રમિકની દીકરી મોતી ગળી જતા અમરેલી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ મોકલવામાં આવી

I am Gujarat 31 Jul 2020, 11:33 pm
રાજકોટઃ એક વર્ષની બાળકી મોતી ગળી જતા શ્વાસનળીમાં ફસાઈ ગયું હતું. તબીબોએ ઓપરેશન કરી તેને નવજીવન આપ્યું. આ બાળકીના પિતાનું કહેવું છે કે 'ડોક્ટરો મારી દીકરીના એન્જલ બનીને આવ્યા'
I am Gujarat docs timely decision saves baby with bead in her airway
રાજકોટઃ શ્વાસનળીમાં ફસાઈ ગયું મોતી, ડોક્ટરોએ આપ્યું બાળકીને નવજીવન


ઘટના એવી હતી કે અમરેલીના સાવરકુંડલા ખાતે ખેતરમાં મજૂરી કામ કરતા શ્રમિકની એક વર્ષની દીકરી સુહાનાને રવિવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તબીબોએ તપાસ કરતા ખબર પડી કે તેની શ્વાસનળીમાં મોતી ફસાઈ ગયું છે. આવી સ્થિતિમાં ત્વરીત નિર્ણય લઈને તાબડતોડ તેનું ઓપરેશન હાથ ધરી તબીબોએ બાળકીનો જીવ બચાવ્યો. ગુરુવારના રોજ બાળકી સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

અમરેલીનાં સાવરકુંડલામાં રહેતા અને મજુરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સિકંદરભાઈની પુત્રી સુહાનાને ગત સપ્તાહે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જેથી તેઓ તેમની પત્ની સાથે અમરેલી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા તેને રાજકોટ સિવિલ ખસેડવાની સલાહ આપવામાં આવી.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગના આસિસ્ટંટ પ્રોફેસર ડો. સેજલ મિસ્ત્રીએ જણાવ્યું કે, 'અમે તુરંત જ તેની ચેસ્ટનો એક્સ-રે કર્યો જેમાં જોવા મળ્યું કે કોઈક વસ્તુ શ્વાસનળીમાં ફસાયેલી છે. સામાન્ય રીતે CT સ્કેન કરાવતા હોઈએ છીએ પરંતુ હાલમાં આ મશિનનો ઉપયોગ કોવિડ પેશન્ટ માટે કરવામાં આવી રહ્યો છે. જેથી અમે તે રિસ્ક લેવા માંગતા નહોતી.'

કોઈ ટેસ્ટમાં સમય વેડફવો નથી તેવું ડોક્ટરોએ નક્કી કર્યું કારણે કે બાળકી મોતી ગળી ગયાને ચાર દિવસ બાદ હોસ્પિટલ લાવવામાં આવી હતી. ત્યાર બાદ તુરંત તેનું ઓપરેશન કરી સફળતા પૂર્વક મોતીને બહાર કાઢવામાં આવ્યું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો