એપશહેર

સરગવાની શીંગ કરતા પણ તેના બી છે ચાર ગણા વધુ ફાયદાકારક, હવે નાખી દેતા નહીં

Mitesh Purohit | TNN 25 Jun 2019, 10:54 am
નિમેષ ખાખરિયા, રાજકોટઃ આપણને બધાને ખ્યાલ છે જ કે સરગવાની શીંગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં શરીરને જરુરી તમામ પોષક તત્વો રહેલા છે. આપણા આયુર્વેદથી લઈને ડોશી શાસ્ત્રમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે અને હવે તો હાલમાં જ થોડા સમય પહેલા થયેલા જુદા જુદા આધુનિક વિજ્ઞાનના પ્રયોગમાં પણ પુરવાર થયું છે કે સરગવો આરોગ્યનો ખજાનો છે. જોકે હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે સરગવો તો ખાજો પરંતુ તેના બી પણ ખાજો. કારણ કે જેટલા લાભ સરગવાથી મળે છે તેના કરતા પણ વધારે ફાયદો સરગવાના બીમાં હોય છે. તેવું તાજેતરમાં એક સંશોધનમાં સામે આવ્યું છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો જુનાગઢ કૃષી યુનિવર્સિટીના બાયોટેક્નોલોજીની વૈજ્ઞાનિકોએ ત્રણ ત્રણ વર્ષના સંશોધનને અંતે શોધી કાઢ્યું છે કે સરગવાના બી હૃદયરોગ, ડાયાબિટિઝ જેવા રોગમાં સૌથી ઉત્તમ ફાયદાકારક સાબિત થાય છે તો સાથે સાથે તેમાં ભરપૂર માત્રામાં ખાસ પ્રકારનું એન્ટિ ઓક્સિડેન્ટ મળી આવે છે જે કેન્સરના રોગ સામે રક્ષણ આપે છે. અભ્યાસમાં જણાયું કે આ બીમાં પ્રોટિન, એન્ટિ ડાયાબિટિક તત્વો અને બીજા કેટલાક પોષક તત્વો હોય છે જે શરીર માટે નુકસાનકારક કોલેસ્ટ્રોલને જમા થતા રોકે છે અને ચોક્કસ કેન્સર અને તેની ગાંઠ થતા પણ રોકે છે. આ સંશોધન સાથે જોડાયેલા આસિ. પ્રોફેસર ડૉ. શ્રદ્ધા ભટ્ટે કહ્યું કે, ‘આરોગ્યના ફાયદા જ નહીં પરંતુ તમારી ત્વચાને ગોરી અને યુવાન બનાવી રાખવામાં પણ કુદરતી રીતે ખૂબ મદદગાર છે સરગવાના બી. તેમાં નેચરલ લિપિડ્સ ભરપૂર માત્રામાં હોય છે જે એક ત્વચાના કોષો માટે એક પ્રકારનું સીરામિડ્સ છે.’ દિવમાં આવેલ હવામાન વિભાગની કચેરીમાં કામ કરતા વૈજ્ઞાનિક મિલન પનારા દ્વારા જૂનાગઢ કૃષી યુનિવર્સિટીના સંશોધકોને સરગવાના બી પર સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પનારાએ એક જૂના આયુર્વેદિક પુસ્તકમાં આ બીના ફાયદા અંગે વાચ્યું હતું. યુનિવર્સિટીના બાયોટેક્નોલોજી વિભાગના એસો. પ્રોફેસર ડૉ. રુકમસિંહ તોમરે કહ્યું કે, “સરગવાની શીંગના બીમાં રહેલા પોષક તત્વો ઉપરાંત આ તે આંખનું તેજ, ફેંફસાની કામગીરી, કિડનીની કામગીરી જેવી મહત્વની શારીરિક ક્રિયામાં પણ ખૂબ જ મદદરુપ સાબિત થાય છે.’ સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે સરગવાની શીંકના બીનો પાઉડર પાણી માટે કુદરતી વોટર પ્યુરિફાયરનું કામ કરે છે. સંશોધન દરમિયાન તેમણે રિવર્સ ઓસ્મોસિસ (R.O.) માટે આ બીના પાઉડરમાંથી બે કેન્ડલ બનાવી અને તેમાંથી પાણીને પસાર કર્યું તો જે પરિણામ મળ્યું તે જોઈને સંશોધકોના આશ્ચર્યનો પાર ન રહ્યો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો