એપશહેર

જૂનાગઢઃ વધુ વરસાદને કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો તો ખેડૂતે ખેતરમાં જ કરી લીધો આપઘાત

એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ અતિવૃષ્ટીને કારણે જગતના તાતની સ્થિતિ માઠી બની છે.

I am Gujarat 11 Sep 2020, 10:38 pm
જૂનાગઢઃ એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ અતિવૃષ્ટીને કારણે જગતના તાતની સ્થિતિ માઠી બની છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે દર વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બને છે પરંતુ આ વર્ષે વધુ વરસાદને કારણે પણ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે જૂનાગઢના ખેડૂતનો કપાસનો પાક નિષ્ફળ જતાં તેણે પોતાના જ ખેતરમાં સળગીને આપઘાત કરી લીધો.
I am Gujarat farmer committed suicide in junagadh
જૂનાગઢઃ વધુ વરસાદને કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો તો ખેડૂતે ખેતરમાં જ કરી લીધો આપઘાત


મળી રહેલી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં રહેતા બાબુભાઈ પોંકિયાએ પોતાના ખેતરમાં આ વર્ષે કપાસનો પાકનું વાવેતર કર્યું હતું. ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જતા તેઓ ટેન્શનમાં રહેતા હતા. જેના કારણે તેમને ભારે નુકાસન આવતા દેવામાં ડૂબી જશે તેવો ડર સતાવતો હતો.

બાબુભાઈને અન્ય કોઈ રસ્તો ન દેખાતા તેમણે આખરે તેમના જ ખેતરમાં સળગીને આપઘાત કરી લીધો. પરિવારજોને જ્યારે ખબર પડી તો તેઓ શોકમાં ડૂબી ગયા. આ મામલે પોલીસે જાણ કરવામાં આવી પોલીસે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો