એપશહેર

ગીર સોમનાથના તાલાલાનો જવાન ઈમરાન સાયલી અરૂણાચલ પ્રદેશમાં શહીદ

શહીદની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાષ્ટ્રીય સન્માનની સાથે દફનવિધિ કરવામાં આવી હતી.

I am Gujarat 2 Dec 2020, 11:56 pm
અમદાવાદઃ ગીર-સોમનાથના તાલાલામાં રહેતા અને અરુણાચલ પ્રદેશ ખાતે આર્મીમાં ફરજ બજાવતા શહીદ વીર ઇમરાન કાળુભાઇ સાયલી નામના જવાનની કાર અરુણાચલ પ્રદેશમાં ખાઈમાં પડવાના કારણે ત્રણ જવાન શહીદ થયા હતા. તેમાં ઈમરાનભાઈ 13 વર્ષથી આર્મીમાં સેવા આપતા હતા. જેમનો મૃતદેહ હેલિકોપ્ટર મારફતે પ્રથમ જૂનાગઢ અને ત્યારબાદ બાય રોડ માદરે વતન તાલાલા લાવવામાં આવ્યો હતો.
I am Gujarat funeral veer shaheed jawan imran sayli talala gir
ગીર સોમનાથના તાલાલાનો જવાન ઈમરાન સાયલી અરૂણાચલ પ્રદેશમાં શહીદ


શહીદ ઇમરાન સાયલીને તાલાલાવાસીઓ સજ્જડ બંધ પાળીને શહીદને સન્માન આપ્યું. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાષ્ટ્રીય સન્માનની સાથે દફનવિધિ કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર તાલાલા પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે.

સમગ્ર પંથકના લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી


શહીદ યુવાનના પિતા તાલાલ ગીરમાં ટ્રક ચલાવે છે. તાલાલ વિસ્તારના તમામ સમાજના તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા શહીદ યુવાનને સહાદતને બિરદાવી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.

શહીદ વીર ઇમરાન સાયલીના પિતા કાળુભાઇ સાયલીએ મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મારો દીકરો દેશની સુરક્ષા કરતો હતો અને તે શહીદ થયો છે. હજુ પણ દેશ માટે મરી મિટવા મારા દીકરાઓ છે.

ભારત આ સમયે કોરોના વાયરસની સાથે કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત બોર્ડર પર પણ પાડોસી દેશોની સાથે તણાવની સ્થિતિ છે. છેલ્લા કેટલાક સમયથી લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ને લઈને ચીન સાથેના વિવાદ ચાલી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને સરહદ પર ગલવાન ઘાટીથી લઈને અરૂણાચલ બોર્ડર પણ સૈન્ય દ્વારા ચાપતો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ભારતીય સૈનિક રાત દિવસ પોતાના જીવના જોખમે સરહદ પર અડીખમ સેવા આપી રહ્યા છે.

એવામાં અરૂણાચલ પ્રદેશની સરહદ ઉપર પેટ્રોલિંગ કરતા હતા. આ દરમિયાન સરહદ પાસે ઊંડી ખીણમાં અકસ્માતે ગાડી પડી જતા તેમાં ત્રણ સૈનિકો શહીદ થયા છે. જેમાં નાયબ સુબેદાર રાજેન્દ્ર, હવલદાર ગાઝી શેખ અને નાઈક સયાલી ઈમરાન કાળુભાઈએ શહીદ થયા છે. આ તમામ શહીદોને આર્મીના અધિકારીઓ દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

Read Next Story