જામનગરના કસ્ટમ વિભાગમાંથી એક કરોડ રૂપિયાનું સોનું ચોરાઈ ગયું હોવાની ઘટના બની છે. ભુજ ડિવિઝન દ્વારા જામનગર કસ્ટમ વિભાગને આપવામાં આવેલું સોનું કસ્ટમ વિભાગના કર્મચારીઓએ જ ચોર્યું હોવાના આક્ષેપ સાથે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે કસ્ટમના ચાર કર્મચારીઓ પર શંકાની સોય છે.
કચ્છમાં ભૂકંપ આવ્યા બાદ ભુજ ડિવિઝન દ્વારા જામનગર કસ્ટમને સોનું સોંપવામાં આવ્યું હતું. વર્ષ 2001થી 2016 સુધીના 15 વર્ષના સમયગાળામાં કર્મચારીઓએ ચોર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ કસ્ટમ ડિવિઝન ઓફિસનના રામસિંહ શિવકુમારસિંહ યાદવે નોંધાવી છે.
ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, IPC કલમ 409 મુજબ વર્ષ 1982 અને 1986માં કસ્ટન ડિવિઝન ભુજ દ્વારા દરોડ પાડીને સોનાના સેમ્પલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ સેમ્પલો કસ્ટમ ડિવિઝન ભુજ ખાતે હતા. પરંતુ 2001માં ભૂકંપના કારણે સોનુંં જામનગરના કસ્ટમ ડિવિઝન ખાતે મોકલવામાં આવ્યું હતું. જે બાદ 18મી ઓક્ટોબર, 2016ના દિવસે કસ્ટમ ડિવિઝને ભુજને પરત સોંપ્યું હતું. ત્યારે 2156.722 ગ્રામ સોનું હતું, જેની કિંમત 1.10 કરોડ થાય છે. આ સોનું પહેલા આપવામાં આવ્યું તેના કરતાં ઓછુ હતું. આ સોનું આખરે ક્યાં ગયું તેની ફરિયાદ નોંધાઈ છે.
આ સમયગાળા દરમિયાન કોઈપણ સરકારી કર્મચારીએ સરકારી મિલકત હોવાનું જાણતા હોવા છતાં અંગત ફાયદા માટે મેળવી લઈને વિશ્વાસઘાત કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. 1 કરોડ રૂપિયાનું સોનું કોણ ગપચાવી ગયું તે મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છમાં ભૂકંપ આવ્યા બાદ ભુજ ડિવિઝન દ્વારા જામનગર કસ્ટમને સોનું સોંપવામાં આવ્યું હતું. વર્ષ 2001થી 2016 સુધીના 15 વર્ષના સમયગાળામાં કર્મચારીઓએ ચોર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ કસ્ટમ ડિવિઝન ઓફિસનના રામસિંહ શિવકુમારસિંહ યાદવે નોંધાવી છે.
ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, IPC કલમ 409 મુજબ વર્ષ 1982 અને 1986માં કસ્ટન ડિવિઝન ભુજ દ્વારા દરોડ પાડીને સોનાના સેમ્પલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ સેમ્પલો કસ્ટમ ડિવિઝન ભુજ ખાતે હતા. પરંતુ 2001માં ભૂકંપના કારણે સોનુંં જામનગરના કસ્ટમ ડિવિઝન ખાતે મોકલવામાં આવ્યું હતું. જે બાદ 18મી ઓક્ટોબર, 2016ના દિવસે કસ્ટમ ડિવિઝને ભુજને પરત સોંપ્યું હતું. ત્યારે 2156.722 ગ્રામ સોનું હતું, જેની કિંમત 1.10 કરોડ થાય છે. આ સોનું પહેલા આપવામાં આવ્યું તેના કરતાં ઓછુ હતું. આ સોનું આખરે ક્યાં ગયું તેની ફરિયાદ નોંધાઈ છે.
આ સમયગાળા દરમિયાન કોઈપણ સરકારી કર્મચારીએ સરકારી મિલકત હોવાનું જાણતા હોવા છતાં અંગત ફાયદા માટે મેળવી લઈને વિશ્વાસઘાત કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. 1 કરોડ રૂપિયાનું સોનું કોણ ગપચાવી ગયું તે મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.