એપશહેર

હવે ભાજપના જ પૂર્વ ગૃહપ્રધાનને વ્યક્ત કર્યો રોષ, ફંડ હોવા છતા કામ ન થતું હોવાનો આરોપ

Mitesh Purohit | I am Gujarat 25 Jan 2020, 2:57 pm
ભાજપમાં જાણે કે નેતાઓ અને ધારાસભ્યોમાં નારાજગીની મોસમ ચાલી રહી છે. એક બાદ એક ધારાસભ્યો અને નેતાઓ પક્ષ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જોકે એકાએક ભાજપમાં થઈ રહેલા આ ભડકાઓ અંગે કોઈ દેખીતું કારણ જોવા મળી રહ્યું નથી. પરંતુ ઈનામદાર અને શ્રીવાસ્તવ બાદ હવે ભાવનગરથી ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદીએ પણ કામ થતું ન હોવાનો આરોપ લગાવી નારાજગી વ્યક્ત કરી હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ભાવગનર શહેરમાં કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ પર સવાલ ઉભા કરી પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદીએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું છે કે, 2002માં આ પ્રોજેક્ટ માટે 25 લાખ રૂપિયા ફાળવાયા હતા. જે બાદ દર પોતે ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ માટે દર વર્ષે આ પ્રોજેક્ટ માટે ફંડ પૂરું પાડ્યું હતું . તેમ છતા કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. તેમણે આ મુદ્દે મનપા કમિશનર-GPCB સામે કોર્ટમાં ફરિયાદ કરી છે. રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ આ મામલે મહેન્દ્ર ત્રિવેદી અને હાલ ભાવનગરમાંથી રાજ્યની ભાજપ સરકારમાં મંત્રી વિભાવરી દવે વચ્ચે ગજગ્રાહની ચર્ચા પણ છે. મહેન્દ્ર ત્રિવેદી હાલ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન છે. તેઓએ આ મામલે કહ્યું કે, ચાર તબક્કામાં કામ કરવાની રજૂઆત છે. મારા માટે કંસારાની સમસ્યા પ્રાથમિકતા છે. મારે રાજ્ય સરકાર અને ભાવગનર સ્થાનિક તંત્ર સામે નારાજગી નહીં પણ ફરિયાદ છે.

Read Next Story