એપશહેર

સુરેન્દ્રનગરમાં લગ્નના 6 વર્ષ બાદ 42 વર્ષીય પતિ અને 25 વર્ષીય પત્નીએ જીવન ટૂંકાવ્યું

હેમા અને બળદેવભાઈએ 6 વર્ષ પહેલા ફુલહાર કરીને લગ્ન કર્યા હતા, બંનેની લાશ અલગ-અલગ રૂમમાંથી મળી આવી

I am Gujarat 5 Dec 2020, 11:30 am
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં સરા ગામમાં 42 વર્ષીય પતિ અને 25 વર્ષીય પત્નીએ જીવન ટૂંકાવતા ચકચાઈ મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે બંનેએ 6 વર્ષ પહેલા એકબીજાને માત્ર ફુલહાર કરીને લગ્ન કર્યા હતા. જો કે, તેમના આપઘાત પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શું બંનેએ ખરેખર આપઘાત કર્યો છે કે પછી કોઈએ હત્યા કરીને લાશ લટકાવી દીધી છે તે અંગે પણ રહસ્ય ઘેરાઈ રહ્યું છે.
I am Gujarat 6
મૃતક પતિ-પત્નીની ફાઈલ તસવીર


બંનેની લાશ જુદા-જુદા રૂમમાંથી મળી આવી
મીડિયા રિપોર્ટ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દેધાળિયા ગામેથી બળદેવભાઈ અને હેમાની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, બંનેની લાશ અલગ-અલગ રૂમમાંથી મળી આવી હતી. જો સાથે મરવાની ઈચ્છા હોય તો બંનેની લાશ એક જ રૂમમાં જોવા મળે છે પરંતુ આ ઘટનામાં એવું જોવા મળ્યું નથી. જેથી બંનેની હત્યા થઈ હોવાની પણ આશંકા છે.

6 વર્ષ પહેલા ફુલહાર કરીને લગ્ન કર્યા હતા
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ દાધોળિયા ગામે હકાભાઈ વાણંદ પરિવાર સાથે સરા ગામમાં રહીને ખેતી કામ કરતા હતા. તેમની બાજુમાં બળદેવભાઈ વરમોરાની વાડી છે. નજીક રહેતા હોવાથી એક બીજાની વાડીઓ આવતા જતા હતા. આ દરમિયાન હકાભાઈની દીકરી હેમા અને બળદેવભાઈની આંખ મળી ગઈ. ઉંમરમાં ઘણો તફાવત હોવા છતાં બંનેએ એકસાથે રહેવાનું નક્કી કર્યું હતું. બાદમાં પરિવારની સહમતી મળતા 6 વર્ષ પહેલા ફુલહાર કરીને લગ્ન કર્યા હતા.

બંને શાંતિથી રહેતા હતા
મળતી માહિતા પ્રમાણે બંને શાંતિથી રહેતા અને ક્યારેય કોઈ તકરાર પણ થતી નહોતી. છેલ્લા 6 વર્ષથી એકસાથે રહેતાં પતિ-પત્નીએ શા માટે જીવન ટૂંકાવ્યું તે અંગે રહસ્ય ઘેરાયું છે. હાલ સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો