એપશહેર

કેજરીવાલનો દાવો: IBના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ભારે બહુમતી સાથે બનશે AAPની સરકાર

Arvind Kejriwal Gujarat Visit: જુનાગઢમાં જન સંબોધન દરમિયાન કેજરીવાલે કહ્યું કે, 'જ્યારથી મેં ગુજરાતમાં આવવાનું ચાલુ કર્યું છે. ત્યારે તેમનો (ભાજપ) IBનો એક રિપોર્ટ આવ્યો છે કે, ગુજરાતમાં AAPની ભારે બહુમતી સાથે સરકાર બનવા જઈ રહી છે. આ ગુજરાત સરકારનો રિપોર્ટ છે, હું નથી કહેતો. રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીક્રેટ મીટિંગો શરૂ થઈ ગઈ છે.'

Edited byદીપક ભાટી | I am Gujarat 1 Oct 2022, 9:07 pm


જુનાગઢ:
ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્યમાં ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે સીધો જંગ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાત મુલાકાત પૂર્ણ થયાના બીજા જ દિવસે AAP સુપ્રિમો અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જુનાગઢમાં જન સંબોધન દરમિયાન કેજરીવાલે કહ્યું કે, જ્યારથી મેં ગુજરાતમાં આવવાનું ચાલુ કર્યું છે. ત્યારે તેમનો (ભાજપ) IBનો એક રિપોર્ટ આવ્યો છે કે, ગુજરાતમાં AAPની ભારે બહુમતીની સાથે સરકાર બનવા જઈ રહી છે. આ ગુજરાત સરકારનો રિપોર્ટ છે, હું નથી કહેતો.

સંબોધન દરમિયાન કેજરીવાલે એવો પણ દાવો કર્યો કે, ગુજરાતમાં AAPની સરકાર બનશે તેવો રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે સીક્રેટ મીટિંગો શરૂ થઈ ગઈ છે. બંને પાર્ટીઓ એવો પ્રયાસ કરી રહી છે કે ગમે તેમ કરો પણ ગુજરાતમાં AAPની સરકાર ન આવવી જોઈએ. 27 વર્ષથી સત્તામાં હોવાને કારણે ભાજપને અહંકાર આવી ગયો છે. અપશબ્દો બોલે છે અને ગુડાગર્દી પણ કરે છે. કોઈ પણ તેમની વિરુદ્ધ બોલે તો તેની સાથે મારપીટ કરે છે. ભાજપ કોઈનું સાંભળતું નથી, પરંતુ AAPની સરકાર બની તો તે જનતાની સરકાર હશે. જનતા જે કહેશે તે જ સરકાર તે જ કામ કરશે. કોઈની નેતાગીરી કે મુખ્યમંત્રીની ચાલશે નહીં અને કોંગ્રેસને તો વોટ આપતા જ નહીં.'

આ ઉપરાંત કેજરીવાલને કચ્છમાં લોકોને સંબોધિત કરતા કહ્યું કે, જો ગુજરાતમાં તેમની પાર્ટીની સરકાર બનશે તો દરેક ગામમાં સરકારી શાળાઓ બનાવવામાં આવશે અને કચ્છ જિલ્લાના દરેક ખૂણે-ખૂણે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે. કેજરીવાલે દાવો કર્યો, સરકારી શાળાના વિદ્યાર્થીઓ દિલ્હીમાં મેડિકલ અને એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવી રહ્યા છે. સારા પગારની નોકરી મેળવ્યા પછી, તેઓ તેમના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢશે. પરંતુ ગુજરાત વિશે મને જાણવા મળ્યું છે કે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) કચ્છમાં સરકારી શાળાઓ બંધ કરી રહી છે.

કેજરીવાલે કહ્યું કે, "હું વચન આપું છું કે ગુજરાતમાં સત્તા પર આવ્યા પછી AAP અહીંના દરેક ગામમાં સરકારી શાળાઓ ખોલશે અને કચ્છ પ્રદેશના દરેક ખૂણે-ખૂણે નર્મદાનું પાણી પહોંચાડશે, તમારા બાળકોના ભવિષ્ય માટે અમને માત્ર એક જ તક આપો. કેજરીવાલે એમ પણ કહ્યું કે જો તેમની પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવે છે, તો તમામ 33 જિલ્લામાં સરકારી હોસ્પિટલો બનાવવામાં આવશે જ્યાં લોકોને મફત અને ગુણવત્તાયુક્ત સારવાર મળશે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો