એપશહેર

રાજકોટઃ 14 વર્ષની છોકરી બોલી 'હું કુંતી છું, મને સુર્યદેવથી કર્ણ જેવો પુત્ર પ્રાપ્ત થશે'

I am Gujarat 17 Jan 2021, 11:55 am
રાજકોટઃ એક જ વ્યક્તિમાં બે પ્રકારની પર્સનાલિટી અથવા તો ડ્યુઅલ પર્સનાલિટીના અનેક કિસ્સા તમે ફિલ્મોમાં જોયા હશે. પછી તે અક્ષય કુમારની ભુલભલૈયામાં વિદ્યા બાલનનું પાત્ર હોય કે જે વાર્તો વાંચી વાંચી અને સાંભળી સાંભળીને પોતાને તેના પાત્રમાં ઢાળી લેતી હોય કે પછી સાઉથની હિટ ફિલ્મ અપરીચિતનું પાત્ર હોય જેમાં અમ્બી નામનો વકીલ દિવસે તો નિયમોનું સમ્માન કરાનારો અને કાયદાનો ભય રાખનારો સામાન્ય માણસ હોય છે પરંતુ જ્યારે તે અનિયાન બને છે ત્યારે કાળા કામ કરનારાઓને ગરુડ પુરાણ મુજબ નર્કની સજા જીવતાજીવ આપે છે. આવા ડ્યુઅલ અને મલ્ટિ પર્સનાલિટીના કિસ્સા જ્યારે હકીકતના જીવનમાં જોવા મળે છે ત્યારે પરિવાર માટે જ નહીં મનોવૈજ્ઞાનિકો માટે પણ તે એક ચેલેન્જ બની જાય છે.
I am Gujarat in rajkot after watching mahabharat teenage become psychopath pretended her self as kunti
રાજકોટઃ 14 વર્ષની છોકરી બોલી 'હું કુંતી છું, મને સુર્યદેવથી કર્ણ જેવો પુત્ર પ્રાપ્ત થશે'


તેવો જ એક ચોંકવાનારો કિસ્સો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સમક્ષ સામે આવ્યો છે. જે અંતર્ગત ટીવીમાં કુંતીનું પાત્ર જોયા બાદ તરુણીને લાગ્યું હતું કે હું માતા બની અને મારી કૂખે કર્ણ જેવો દીકરો જન્મશે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વે અંતર્ગત કોરોના મહામારી શરૂ થયા બાદ જે લોકડાઉન લાદવામાં આવ્યું હતું અને ત્યારબાદ ક્રમશઃ જે પ્રકારે ઓનલાઇન શિક્ષણ શરૂ થતા બાળકોમાં મોબાઈલનો વપરાશ ક્રમશઃ વધવા પામ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ આ ઓનલાઈન અભ્યાસક્રમના નામે પોર્ન સાઈટ જોતા હોવાનું સામે આવ્યું હતું. જેનો રેશિયો 14% હોવાનું સામે આવ્યું હતું.

આ બધા વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકો સામે રાજકોટ જિલ્લાના મસ્તરામપુર ( નામ બદલાવેલ છે ) ની 14 વર્ષની સવિતા (નામ બદલાવેલ છે ) નામની તરુણીનો કિસ્સો આવ્યો હતો. જેમાં તરુણીને લઈને તેનો પરિવાર નવ જાન્યુઆરીના રોજ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન ખાતે પહોંચ્યો હતો.

પરિવારે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો પાસે પોતાની કહાની જણાવતા કહ્યું હતું કે, દીકરીએ મહાભારતની સીરીયલ જોયા બાદ પોતાને મનથી કુંતી હોવાનું માનવા લાગી છે અને તે પ્રકારે વર્તન કરે છે. એટલું જ નહીં તમામ લોકોને કહે છે કે મને પણ સૂર્યદેવના આશીર્વાદથી કર્ણ જેવા વીર અને પ્રતાપી પુત્રની પ્રાપ્તિ થશે. ત્યારે સીરીયલ જોયા બાદ દીકરીની માસીક ક્રિયામાં પણ સમસ્યા આવી ગઈ છે. એક જ પ્રકારના વિચારો વચ્ચે તેનો સ્વભાવ પણ ખૂબ જ ગુસ્સાવાળો થઇ ગયો છે. જેથી પરિવાર દ્વારા દીકરીનો મેડિકલ રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો હતો પરંતુ મેડિકલ રિપોર્ટમાં બધું સામાન્ય હોવાનું સામે આવ્યુ હતું.

ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડોક્ટરો દ્વારા આ છોકરીને થેરાપી આપવા સાથે તેનું કાઉન્સિલીંગ પણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ તેને સમજાવવાનો પ્રયાસ થયો હતો કે સીરીયલમાં આવતી દરેક બાબતો રિયલ લાઇફમાં શક્ય હોતી નથી. પ્રાથમિક થેરાપી બાદ હવે પરિવાર તેને લઈને પોતાના ગામ ચાલ્યો ગયો છે અને મનોવિજ્ઞાન ભવનના ડોક્ટરો ફોન દ્વારા હાલ દીકરીનું દરરોજ કાઉન્સેલિંગ કરી રહ્યા છે.

Read Next Story