એપશહેર

પંજાબમાં મોટી જીત બાદ AAP ફોર્મમાં, ઈસુદાને નરેશ પટેલને આપ્યું પક્ષમાં જોડાવવા આમંત્રણ

Isudan Gadhvi Invites Naresh Patel: 'નરેશ પટેલ જેવા વ્યક્તિની આમ આદમી પાર્ટીને જરૂર છે. તમારા કારણે સ્વચ્છ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ પણ આ પાર્ટીમાં જોડાશે અને આદ આદમી પાર્ટી સરકાર બનાવશે. કોંગ્રેસ તો પતી જ ગઈ છે. કોંગ્રેસના નેતાઓ હવે જીવી શકશે કે શું કરશે મને ખબર નથી કારણે તે 27 વર્ષ સુધી વિપક્ષમાં રહીને કઈ કરી શકી નથી. જેથી એકમાત્ર પાર્ટી આમ આદમી છે જેનું ગુજરાતમાં ભવિષ્ય છે.'

Authored byદીપક ભાટી | I am Gujarat 12 Mar 2022, 3:44 pm
રાજકોટ: પાટીદાર અગ્રણી નરેશ પટેલને રાજકારણમાં લાવવા માટે અનેક પક્ષના નેતાઓ વારંવાર અપીલ કરી ચૂક્યા છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી (AAP) પણ તેમાંથી બાકાત નથી. શનિવારે રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન AAP નેતા ઈસુદાન ગઢવીએ નરેશ પટેલને પક્ષમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. તેમણે મીડિયાને જણાવ્યું કે, નરેશભાઈ ખૂબ જ સારા કાર્યકર અને મોટા આગેવાન છે. તેમણે સમાજ અને તમામ જ્ઞાતિઓ માટે કામ કર્યું છે. જેથી તેમના જેવા પ્રતિભાશાળી વ્યક્તિએ હવે રાજકારણમાં આવી સમાજની સેવા કરવાની જરૂર છે. હાલ સાફ ઈમેજ અને ભ્રષ્ટાચાર મુક્ત એકમાત્ર પાર્ટી AAP છે, જેથી અમે નરેશભાઈને આવકારીએ છીએ.
I am Gujarat AAP Invites Naresh Patel to Join Party
પંજાબની જીત બાદ AAPએ રાજકોટમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું


ભાજપ ભ્રષ્ટ છે, કોંગ્રેસ પતી ગઈ, હવે AAP એકમાત્ર જ સ્વચ્છ પક્ષ: ઈસુદાન
ઈસુદાને નરેશ પટેલને લઈને મીડિયાને જણાવ્યું કે, તમારા જેવા વ્યક્તિની આમ આદમી પાર્ટીને જરૂર છે. તમારા કારણે સ્વચ્છ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓ પણ આ પાર્ટીમાં જોડાશે અને આદ આદમી પાર્ટી સરકાર બનાવશે. કારણે કે ભાજપ ભ્રષ્ટ છે. લોકોમાં એવી છાપ છે કે, ભાજપમાં લોકો માલ માટે, ફાઈલ માટે અને કોન્ટ્રાક્ટ માટે જાય છે. જ્યારે કોંગ્રેસ તો પતી જ ગઈ છે. કોંગ્રેસના નેતાઓ હવે જીવી શકશે કે શું કરશે મને ખબર નથી કારણે તે 27 વર્ષ સુધી વિપક્ષમાં રહીને કઈ કરી શકી નથી. જેથી એકમાત્ર પાર્ટી જે આમ આદમી જેનું ભવિષ્ય છે ગુજરાતમાં જેથી નરેશભાઈએ પાર્ટીમાં આવવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, 4 દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ પત્ર લખીને નરેશ પટેલને પાર્ટીમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. હાર્દિકે પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક જ પાર્ટીનું શાસન છે અને આવા સંજોગોમાં જો નરેશભાઈ કોંગ્રેસમાં જોડાય અને રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે તો સ્વાભાવિક રીતે ગુજરાતની જનતાને ફાયદો થઈ શકે છે. તો બીજી તરફ નરેશ પટેલે જણાવ્યું હતું કે, મને હજી સુધી લેટર મળ્યો નથી. આવા આમંત્રણ મને દરેક પક્ષમાંથી આવે છે જેથી યોગ્ય સમયે હું નિર્ણય લઈશ.'
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story