એપશહેર

તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

દીવમાં તૌકતેનું લેન્ડ ફોલ થતાં દીવ ઉપરાંત સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિત રાજ્યના દરિયાકાઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો

I am Gujarat 18 May 2021, 12:20 am
અતી તીવ્ર વાવાઝોડુ તૌકતેનું ગુજરાતમાં લેન્ડ ફોલ થયું છે. તૌકતે વાવાઝોડુ દીવના વણાંકબારાએ ટકરાયું છે. જેના કારણે દીવમાં ભારે પવન ફૂંકાયો છે. આ ઉપરાંત સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાયો છે. તૌકતેના લેન્ડ ફોલ અગાઉ દીવના દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા હતા. વાવાઝોડાની પરિસ્થિતિને જોતા અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પણ મંગળવારે સવારે પાંચ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.
I am Gujarat Tauktae in Gujarat


અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડુ દીવ અને ઉનાની વચ્ચે છે. પવનની ગતિ 150 કિમી પ્રતિ કલાકની રહેશે. ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર આ ચાર જિલ્લામાં તેની સૌથી વધુ અસર જોવા મળશે. વાવાઝોડાની અસરના કારણે ઘણા ઝાડ પડી ગયા છે અને ઘણા વિસ્તારોમાં લાઈટો પણ જતી રહી છે.
તૌકતે વાવાઝોડાની અસર, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદમુખ્યમંત્રી સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પર પહોંચ્યા હતા અને એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર તથા વાવાઝોડાના લેન્ડ ફોલ અને વહિવટી તંત્રની તૈયારીઓ બાબતે સમીક્ષા કરી હતી. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, દીવ અને ઉના વચ્ચે વાવાઝોડુ ટકરાશે અને સંપૂર્ણ પ્રક્રિયા થતાં દોઢથી બે કલાક લાગશે. વાવાઝોડાની આંખ પસાર થાય ત્યારે તેની ગતિ ઓછી થાય છે ત્યારે એવું ન સમજી લેવાય કે ખતરો ટળી ગયો છે. અમે સતત હવામાન વિભાગના સંપર્કમાં છીએ. અમે મોડી રાત સુધી વાવાઝોડાની ઘટનાઓની સમીક્ષા માટે કંટ્રોલ રૂમમાં રહીશું.
મહારાષ્ટ્રમાં 'તૌકતે'એ મચાવી તબાહી, 6ના મોત, હજારો ઘર અને સંખ્યાબંધ ઝાડ જમીનદોસ્તવાવાઝોડાની શક્યતાના કારણે રાજ્ય સરકાર દ્વારા અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. જેના ભાગ રૂપે બચાવ કામગીરી માટે સંભવિત અસરગ્રસ્ત 20 જિલ્લાઓમાં એનડીઆરએફની 44 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પાંચ જિલ્લાઓમાંથી અંદાજીત એક લાખ તથા રાજ્યમાં કુલ 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

લોકોને પણ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. લોકોને બે દિવસ સુધી ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. ગુજરાતની હાલમાં એક પણ બોટ દરિયામાં નથી. દરિયામાંથી 19,811 માછીમારો પરત આવી ગયા છે. જ્યારે 11,000થી વધુ અગરિયાઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો