એપશહેર

ગોંડલમાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાને માથામાં ધોકો મારી હત્યા કરી નાખી, બચવા માટે ઘડી હતી આવી વાર્તા

ગોંડલમાં હરભોલે સોસાયટીમાં પોતાની પરિણીત પ્રેમિકા સાથે રહેતા પ્રેમીએ તેને માથામાં ધોકો મારીને હત્યા કરી નાખી હતી. એ પછી પોલીસથી બચવા માટે તેણે વાર્તા ઘડી હતી કે પગથિયા પરથી લપસી જતા તે પડી ગઈ હતી. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી. સારવાર દરમિયાન પરિણીત પ્રેમિકાનું મોત નીપજ્યું હતું. પોલીસને પણ આ કેસમાં શંકા ગઈ હતી.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 25 Jan 2023, 10:34 am

હાઈલાઈટ્સ:

  • પ્રેમીએ પરિણીત પ્રેમિકાને માથામાં ધોકો મારી કરી હત્યા
  • પોલીસથી બચવા વાર્તા ઘડી કાઢી, આખરે ભાંડો ફૂટ્યો
  • પગથિયા પરથી પડી ગઈ હોવાની વાર્તા પ્રેમીએ ઘડી હતી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat gondal lover killed his married girlfriend
ગોંડલમાં યુવકે પોતાની પરિણીત પ્રેમિકાની હત્યા કરી નાખી હતી.
રાજકોટઃ ગોંડલ શહેરમાંથી એક ચોંકાવનારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં હરભોલે સોસાયટીમાં રહેતા પ્રેમીએ છેલ્લાં આઠ મહિનાથી પોતાની સાથે રહેતી પરિણીત પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. તેણે પોતાની પરિણીત પ્રેમિકાને માથાના ભાગે ધોકો માર્યો હતો અને હત્યા કરી નાખી હતી. બાદમાં પોલીસથી બચવા માટે તેણે એવી વાર્તા ઘડી હતી કે, પગથિયા પરથી લપસી જવાથી તે પડી ગઈ હતી. એ પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી હતી. જો કે, પોલીસને પ્રેમી યુવકની વાત પર શંકા હતી. આખરે પોલીસની તપાસમાં અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો હતો. જે બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જમવાનું બનાવવા બાબતે થયો હતો ઝઘડો
ગોંડલમાં હરભોલે સોસાયટીમાં રહેતો 44 વર્ષીય ભાવેશ જોગરાદીયા પોતાની પરિણીત પ્રેમિકા સાથે છેલ્લાં આઠ મહિનાથી રહેતો હતો. તેની પરિણીત પ્રેમિકાનું નામ સોનલબેન રમેશભાઈ પલાળીયા હતુ અને તે જશદણ તાલુકાના ખડવાવડી ગામની રહેવાસી હતી. મૃતક સોનલબેન કેટરર્સનું કામ કરતા હતા. જ્યારે ભાવેશ છૂટક મજૂરી કરતો હતો. ગઈ 23 જાન્યુઆરીના રોજ બંને સાંજે ઘરે આવ્યા હતા. ત્યારબાદ જમવાનું બનાવવા બાબતે બંને વચ્ચે કંકાસ થયો હતો. એટલે ભાવેશ ઉશ્કેરાઈ ગયો હતો. જે બાદ તેણે મૃતકના માથાના ભાગે ધોકો માર્યો હતો. પછી બચવા માટે તેણે એવી વાર્તા ઘડી હતી કે પગથિયા પરથી લપસી જતા તે પડી ગઈ હતી. બાદમાં તેને સારવાર માટે ગોંડલ અને ત્યાંથી રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
વડોદરામાં 100 કરોડની સરકારી જમીનનું કૌભાંડ, 70 વર્ષીય વૃદ્ધાની પોલીસે કરી ધરપકડ
પોલીસને પણ શંકા ગઈ હતી
જો કે, સારવાર દરમિયાન પરિણીત પ્રેમિકાનું મોત નીપજ્યું હતું. પોલીસને પણ આ કેમસાં શંકા લાગતી હતી. બાદમાં મહિલાની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, મૃતકના શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નહોતા. એ પછી હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. આરોપી ભાવેશે પોલીસની પૂછપરછમાં પોતાનો ગુનો પણ કબૂલ્યો હતો. જે બાદ પોલીસે આરોપી ભાવેશની સામે ગુનો નોંધીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત રમખાણ 2002: દેલોલ ગામમાં 17 લોકોની હત્યાના 22 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
આખરે હત્યાનો ભાંડો ફૂટ્યો
આ હત્યાના કેસમાં મૃતક સોનલબેનની પુત્રી પાયલબેન મકવાણાએ ફરિયાદ કરી હતી. પુત્રીએ પોલીસ ફરિયાદમાં એવું જણાવ્યું કે, પિતાને પેરાલિસીસનો હુમલો થયો હોવાથી તેઓ પથારીવશ થઈ ગયા હતા. તેની માતા સોનલબેન છેલ્લાં આઠ મહિનાથી આરોપી ભાવેશ સાથે ઘર માંડીને રહેતી હતી. તેણે જ ફોન કરીને કહ્યું હતું કે, તારી માતા પગથિયા પરથી લપસીને પડી ગઈ છે અને સારવાર માટે લઈ જવામાં આવી છે. સારવાર દરમિયાન મૃત્યુ જતા શંકા ગઈ હતી. આખરે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢીને આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Rajkot News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story