રાજકોટ શહેરમાં ગુરુવારે બપોરે 4 વાગ્યા આસપાસ લોહીયાળ જંગ ખેલાતા ભારે ચકચાર મચી ગઈ. જેમાં યુવકે પહેલા પોતાની પત્ની તથા મામાજીની હત્યા કરી, આ દરમિયાન દીકરી અને ભાઈને બચાવવા વચ્ચે પડેલા સાસુને પણ ગંભીર ઈજાઓ પહોંચા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. બાદમાં યુવકે ઘરે જઈને પોતાના બે બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો. ત્રણેયને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. બનાવની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
રાજકોટના કોઠી કમ્પાઉન્ટ રોડ પર ધોળા દિવસે ડબલ મર્ડરની ઘટનાની સનસનાટી મચી ગઈ. જેમાં કોર્ટ કેસના મનદુઃખમાં થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતા ઈમરાન અલતાફ પઠાણે રુખડીયા પરા ફાટક નજીક પોતાના પત્ની તથા મામાજીની છરાના ઘા ઝીંકીની હત્યા કરી નાખી. આ બંનેને બચાવવા વચ્ચે આવેલા સાસુની પણ તેણે ગંભીર ઈજાગ્રસ્ત કરી નાખ્યા. આ બાદ ઘરે જઈને ઈમરાને પોતાના બે પુત્રો સાથે મળીને આપઘાતનો પ્રયાસ કર્યો. હાલમાં ત્રણેયને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
જાણકારી મુજબ, સંતાનોની કસ્ટડી માટે ચાલી રહેલા કોર્ટકેસમાં મનદુઃખ થતા આ હત્યાકાંડ સર્જાયો હતો. જેમાં શરૂઆતમાં પતિ-પત્નીનો ઝઘડો પોલીસ સુધી પહોંચ્યો, બાદમાં યુવતી નાઝીયાએ પોતાના મામા અને મમ્મી સાથે રીક્ષામાં બેસીને ત્યાંથી જતી રહી. આ દરમિયાન જ રસ્તામાં ઈમરાને ત્રણેય પર હુમલો કર્યો હતો. પત્ની તથા મામાજીની હત્યા કર્યા બાદ ઈમરાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
હત્યા કર્યા બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટેલા ઈમરાને ઘરે જઈને પોતાના બે માસુમ સંતાનો સાથએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણેયને બાદમાં ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. આ વિશે ડીસીપી મનોહરસિંહ જાહેજાએ જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે બાળકોની કસ્ટડીને લઈને ચાલતા વિવાદમાં આ અરેરાટીભરી ઘટના બની હતી.
રાજકોટના કોઠી કમ્પાઉન્ટ રોડ પર ધોળા દિવસે ડબલ મર્ડરની ઘટનાની સનસનાટી મચી ગઈ. જેમાં કોર્ટ કેસના મનદુઃખમાં થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતા ઈમરાન અલતાફ પઠાણે રુખડીયા પરા ફાટક નજીક પોતાના પત્ની તથા મામાજીની છરાના ઘા ઝીંકીની હત્યા કરી નાખી. આ બંનેને બચાવવા વચ્ચે આવેલા સાસુની પણ તેણે ગંભીર ઈજાગ્રસ્ત કરી નાખ્યા. આ બાદ ઘરે જઈને ઈમરાને પોતાના બે પુત્રો સાથે મળીને આપઘાતનો પ્રયાસ કર્યો. હાલમાં ત્રણેયને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
જાણકારી મુજબ, સંતાનોની કસ્ટડી માટે ચાલી રહેલા કોર્ટકેસમાં મનદુઃખ થતા આ હત્યાકાંડ સર્જાયો હતો. જેમાં શરૂઆતમાં પતિ-પત્નીનો ઝઘડો પોલીસ સુધી પહોંચ્યો, બાદમાં યુવતી નાઝીયાએ પોતાના મામા અને મમ્મી સાથે રીક્ષામાં બેસીને ત્યાંથી જતી રહી. આ દરમિયાન જ રસ્તામાં ઈમરાને ત્રણેય પર હુમલો કર્યો હતો. પત્ની તથા મામાજીની હત્યા કર્યા બાદ ઈમરાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
હત્યા કર્યા બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટેલા ઈમરાને ઘરે જઈને પોતાના બે માસુમ સંતાનો સાથએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણેયને બાદમાં ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. આ વિશે ડીસીપી મનોહરસિંહ જાહેજાએ જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે બાળકોની કસ્ટડીને લઈને ચાલતા વિવાદમાં આ અરેરાટીભરી ઘટના બની હતી.