એપશહેર

મોરબીઃ બે એસટી બસ સવારમાં ધડાકાભેર અથડાઈ, 40થી વધુ મુસાફરો થયા ઘાયલ

Tejas Jinger | I am Gujarat 11 Oct 2019, 1:56 pm
મોરબીઃ રાજ્યમાં એસટી બસના વધુ એક અકસ્માતના સમાચાર આવ્યા છે. બે દિવસ અગાઉ ડ્રાઈવર કંડક્ટ દારુ પીધેલી હાલતમાં બસ ચલાવી રહ્યા હતા તે મામલો હજુ ઠર્યો નથી ત્યાં બોરબીમાં બે એટલી બસ ધડાકાભેર અથડાઈ હોવાની ઘટના સામે આવી છે. વાંકાનેરના ખેરવામાં સર્જાયેલી આ દુર્ઘટનામાં 40 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ અકસ્માતમાં બસના ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બન્ને બસો સામસામે અથડાયા પછી બસનો એવો કચ્ચરઘાણ નીકળી ગયો કે બસના દરવાજા જ ના રહ્યા. લોકોને બસ કાપીને બહાર કાઢવા પડ્યા.
બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી બનાવની જાણ થતાં મદદ માટે આસપાસના ગામમાંથી લોકો દોડી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘાયલ થયેલા લોકોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. ઘાયલ થયેલા મુસાફરોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત બાદ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો