એપશહેર

રાજકોટઃ જેતપુરના એક જ પરિવારના ત્રણ સભ્યોને ભરખી ગયો 'રહસ્યમય' તાવ!

મિત્તલ ઘડિયા | TNN 14 Sep 2019, 9:32 am
રાજકોટઃ છેલ્લા 15 દિવસમાં રાજકોટ અને જૂનાગઢની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા અને જેતપુરમાં રહેતા એક પરિવારની બે મહિલાઓ સહિત ત્રણ લોકોના રહસ્યમય તાવના કારણે મોત થયા છે. તાજેતરમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:રાજકોટ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મનિષ ભંડેરીએ કહ્યું કે પીડિતોના મોત સ્વાઈન ફ્લુ કે કોંગો ફીવરના કારણે નથી થયા, પરંતુ તેઓ એક રહસ્યમય તાવનો શિકાર બન્યા હતા જે આ બે જીવલેણ રોગો જેવા લક્ષણો ધરાવે છે.‘અમે મૃતકોના પરિવારના સભ્યોના લોહીના નમૂના લઈને મૃત્યુ કઈ રીતે થયાં તે અંગે તપાસ શરૂ કરી કરી છે. તેમના મૃત્યુ વાઈરલ ઈન્ફેક્શન કે બેક્ટેરિયાના કારણે થયા હોઈ શકે છે’ તેમ ડો. ભંડેરીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું.શુક્રવારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામનારની ઓળખ કોમલ સોલંકી (15) તરીકે થઈ છે. જ્યારે તેની બહેન કાજલ સોલંકી (13)નું મોત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 9મી સપ્ટેમ્બરે થયું હતું અને તેનો પિતરાઈ ભાઈ સુનિલ સોલંકી (18) રાજકોટમાં પહેલી સ્પ્ટેમ્બરે મોતને ભેટ્યો હતો.મોટેરા બનશે ભારતની ઓળખ, દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર!
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો