જસદણ: ભૂજમાં ચૂંટણી સભા સંબોધી જસદણ પહોંચેલા પીએમે પોતાની બીજી સભામાં પણ કોંગ્રેસ પર આરોપોની વણઝાર વરસાવી હતી. કોંગ્રેસ પર ગુજરાતના ચાર પાટીદાર સીએમને હટાવવાનું કાવતરું ઘડવાનો સીધો જ આરોપ મૂકતા જણાવ્યું હતું કે, કોંગ્રેસને ગુજરાતના નામથી જ શૂળ ઉપડે છે. પોતાની સભામાં મોદીએ અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર તેમના પર પણ પ્રહાર કર્યા હતા. જસદણમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ પીએમે કર્યું હતું.
કેજરીવાલ પર પ્રહાર
પીએમે કેજરીવાલનું નામ લીધા વગર કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા દિલ્હીમાં એક પાર્ટી બની. લોકોને જાણે શું ય થઈ ગયું હોય તેમ લાગ્યું. તે પાર્ટીના ભાઈને એવી ટેવ કે એ ભાઈને આવી ટેવ કે પથરો મારીને ભાગી જવાનું, ગાળો બોલી સંતાઈ જવાનું, થૂંકીને જતું રહેવાનું.. એવાને ગાળ દેવાની કે પબ્લિસિટી મળે.. કોંગ્રેસના નેતા આવી કુટેવ નહીં શીખે તેવી મને આશા હતી, પણ તેમણે પણ આ જ કર્યું. છેલ્લા બે મહિનાથી હું જોઈ રહ્યો છું કે કોંગ્રેસે જાણે પોતાનું ચારિત્ર્ય જ ગુમાવી દીધું છે.
કોંગ્રેસે પાટીદાર મુખ્યમંત્રીઓ સામે કાવતરાં કર્યાં
ગુજરાતના ચાર-ચાર સીએમને પદભ્રષ્ટ કરવાનો મોદીએ કોંગ્રેસ પર સીધો જ આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જનસંઘના ટેકાથી જનતા મોરચાની સરકાર બની અને બાબુભાઈ જશભાઈ પટેલ સીએમ બન્યા, કોંગ્રેસે કાવતરું ઘડી તે સરકારને 9 મહિનામાં ઘરભેગી કરી દીધી. ચિમનભાઈને પણ ઈન્દિરાજીએ તોફાનો કરાવી કાઢ્યા, તેમની પથારી ફેરવી નાખી. ત્યાર પછી ચીમનભાઈ કેશુભાઈના ટેકાથી સીએમ બન્યા. ભૂકંપ આવ્યો તે વખતે કેશુભાઈની ખુરશી હલી જાય તેવા કાવતરાં કર્યા. આનંદીબેન સત્તામાં હતાં ત્યારે પણ રાજ્યમાં તોફાનો કરાવ્યા.
ગુજરાતની જનતાએ કોંગ્રેસને નથી સ્વીકારી
મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને ક્યારેય કોંગ્રેસને સ્વીકારી જ નથી. કોંગ્રેસે પણ ગુજરાતને નુક્સાન કરવામાં કશુંય બાકી નથી રાખ્યું. તેમણે કહ્યું હતં કે, કટોકટીના પહેલા જ ગુજરાતમાં જનતા મોરચાની સરકાર બની ગઈ હતી, આ સરકાર બનાવી ગુજરાતે દેશને સંકેત આપી દીધો કે કેન્દ્રની સરકાર હવે નહીં ચાલે. ગુજરાત કોંગ્રેસને નથી સ્વીકારતું માટે ગુજરાતને કોઈ પણ ભોગે બદનામ કરવું તે કોંગ્રેસનો ઈતિહાસ છે.
GSTનો ખોટો વિરોધ
પીએમે કહ્યું હતું કે, જે લોકો જીએસટીનો વિરોધ કરી રહ્યા છે તેમને એ ખબર નથી કે, તેના બધા નિર્ણય તમામ રાજ્યના નાણાં મંત્રી ભેગા થઈ કરે છે, અને તેમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મંત્રી પણ હોય છે. તે બધા અંદર હાથ મિલાવીને નિર્ણયો લે છે, અને બહાર જઈ ગપ્પાં મારે છે. અમને ખબર હતી કે જીએસટી લાગુ કરીશું પછી થોડી સમસ્યા આવશે, પરંતુ લોકોની રજૂઆત સાંભળીને સુધારા કરવાની અમે હિંમત કરી છે.
2002 પહેલાના દિવસો યાદ કરો
પીએમે કહ્યું હતું કે, પહેલા ગુજરાતના કોઈને કોઈ ભાગમાં બારે મહિના હુલ્લડ ચાલુ રહેતા હતા. બહારગામ જવું હોય તો ફોન કરીને શાંતિ છે કે નહીં તે પૂછવું પડતું. પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. આજે ફરી જાતિવાદનું ઝેર ફેલાવાઈ રહ્યું છે. એકને ઉંચો બીજાને નીચો બતાવવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. જો કોંગ્રેસને સત્તા મળી તો ફરી એ જ દિવસ આવશે જ્યારે આપણા ઉભા પાક બાળી નાખવામાં આવતા હતા.
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.