એપશહેર

જૂનાગઢઃ દર વર્ષે ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય

આદિ-અનાદિ કાળથી કરવામાં આવતી પાવનકારી લીલી પરિક્રમાને લાગ્યું કોરોનાનું ગ્રહણ, દર વર્ષે પરિક્રમામાં 10 લાખ લોકો જોડાય છે.

I am Gujarat 21 Nov 2020, 5:57 pm
જૂનાગઢઃ ગિરનારની તળેટીમાં યોજાતી લીલી પરિક્રમાને પણ આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. લીલી પરિક્રમા બંધ રાખવાની કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લોકોને પરિક્રમા કરવા ન આવવા તંત્રએ અપીલ કરી છે. કોરોનાના કારણે પ્રથમવાર પરિક્રમા બંધ રહેતા વર્ષોની પરંપરા તુટશે. મહત્વપૂર્ણ છે કે પરિક્રમામાં 10 લાખ જેટલા લોકો જોડાય છે.
I am Gujarat official announcement girnar lili parikarama suspended
જૂનાગઢઃ દર વર્ષે ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય


કોરોનાએ દિવાળીના તહેવારો બાદ ફરી માથુ ઉંચક્યું છે. કોરોનાના કેસ વધી રહ્યા છે. પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોવાથી કોરોના મહામારી વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે તેની પૂરી સંભાવના રહેલી છે. જેને ધ્યાનમાં રાખીને આજ રોજ જૂનાગઢ કલેક્ટર દ્વારા લીલી પરિક્રમા સત્તાવાર રીતે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

લીલી પરિક્રમાનું અનોખું મહાત્મય
ગિરનારને લઇને એવી લોકવાયકાઓ સાંભળવા મળે છે કે, ત્યાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે અને તેઓ દેવ ઉઠી એકાદશીની રાત્રીએ ગિરનારમાં જાગતા હોય છે. જેથી આ સમયે ગિરનારની પરિક્રમા કરવાનું વિશેષ મહત્વ છે. આ પરિક્રમા ગરવા ગિરનારમાં 36 કિમીથી વધુના વિસ્તારમાં યોજાય છે. જેમાં ભક્તો-શ્રદ્ધાળુઓ જંગલમાં સ્થિત પૌરાણિક ધર્મસ્થળોના દર્શન કરે છે. સાથે પુણ્યનું ભાથું પણ બાંધે છે.પરિક્રમા કરવાથી પાપનો નાશ થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો