એપશહેર

સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા PM મોદી, વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો નિર્ણય

હજુ પણ બે ટ્રસ્ટીની ખાલી જગ્યા ભરવાની છે જે વિચારણા હેઠળ રાખવામાં આવી છે.

I am Gujarat 18 Jan 2021, 9:08 pm
ગીર સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ અને જગવિખ્યાત સોમનાથ મંદિરની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નિર્ણય લેવાયો હતો. ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક સમાપ્ત થઈ હતી. જેમાં ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિમણુંક કરવામાં આવી હતી. કોઈ વડાપ્રધાન ચેરમેન બન્યા હોય તેવી આ બીજી ઘટના છે. પ્રથમ વડાપ્રધાન ચેરમેન તરીકે મોરારજી દેસાઈ પણ રહી ચૂક્યાં છે. હજુ પણ બે ટ્રસ્ટીની ખાલી જગ્યા ભરવાની છે. જે વિચારણા હેઠળ છે.
I am Gujarat pm modi becomes new chairman of somnath trust
સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા PM મોદી, વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો નિર્ણય


સોમનાથ ટ્રસ્ટના આઠમાં ચેરમેન PM મોદી
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના આઠમાં ચેરમેન બન્યાં છે. નોંધનીય છે કે અત્યાર સુધી પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના ટ્રસ્ટના ચેરમેન પદે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલ હતા પરંતુ તેમના નિધન પછી આ જગ્યા ખાલી પડી હતી. તાજેતરમાં યોજાયેલી બેઠકમાં આ ચેરમેન પદે પીએમ મોદીની વરણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે સોમનાથ ટ્રસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પી.કે.લહેરી, જે. ડી.પરમાર સહીતના ટ્રસ્ટીઓ કાર્યરત છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર સાહેબે જણાવ્યું હતું કે હજુ પણ બે ટ્રસ્ટી જગ્યા ભરવાની બાકી રાખી છે જે વિચારણા હેઠળ છે.

પ્રથમ ચેરમેન સરદાર પટેલ
હાલનું જે ભવ્ય સોમનાથ મંદિર છે તેનો જીર્ણોદ્ધાર સરદાર પટેલે કરાવ્યો હતો. સોમનાથ મંદિરનું નવનિર્માણ સરદાર પટેલને આભારી છે ત્યારે સ્વ. કનૈયાલાલ મુનશીએ તત્કાલીન સમયે કહ્યું હતું કે, 'જો સરદાર આપણને મળ્યા ન હોત તો આપણી આંખો સોમનાથ મંદિરનું પુન:નિર્માણ જોવા ભાગ્યશાળી બની શકી ન હોત.' નોંધનીય છે કે સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં. સરદારની આદમકદની કાંસ્ય પ્રતિમા આજે પણ સોમનાથ મંદિરના પ્રાંગણમાં ઉભી છે.

આવું છે સોમનાથનું મહત્વ
નોંધનીય છે કે, ઋગવેદમાં પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. 12 જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ શીશ ઝૂકાવવા માટે આવે છે. ભગવાન ચંદ્રદેવ(સોમ)નું કષ્ટ દૂર કરનારા પ્રભુ શિવ પરથી આ મંદિરનું નામ સોમનાથ પડ્યું છે. 11મી સદીમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો અને દરેક સંપત્તિ લૂંટી મંદિર નષ્ટ કર્યું હતું. જે પછી રાજા ભીમ અને માળવાના રાજા ભોજે મંદિરનું પુનનિર્માણ કરાવ્યું હતું. અત્યારે જે સોમનાથ મંદિર છે તે મંદિર 1962માં બનીને તૈયાર થયું હતું.

Read Next Story