એપશહેર

આવતીકાલે PM મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે, કચ્છની મુલાકાત લેશે

PM મોદી વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટ અલ્ટ્રા મેગા હાઈબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે, ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવતા ડિસેલીનેશન પ્લાટનું ભૂમિપૂજન પણ કરશે

I am Gujarat 14 Dec 2020, 6:32 pm
કચ્છ: આવતીકાલે વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ કચ્છની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે 2 કલાકે ખાતમૂર્હુત કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.
I am Gujarat 8
વડાપ્રધાન મોદીની ફાઈલ તસવીર


વિવિધ કાર્યોનું ભૂમિપૂજન કરશે
પીએમ મોદી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. બાદમાં કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે. તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે.

ધોરડો ખાતે પીએમ મોદી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. પ્રધાનમંત્રીશ્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. પીએમ અને સીએમનીઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે 129 કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે.

જણાવી દઈએ કે, પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકાર દ્વારા 8.38 કરોડની સહાયથી કચ્છ જિલ્લામાં વર્ષ 2013-14માં બે લાખ લીટરના પ્રોસેસિંગ કેપેસિટીનો પ્રથમ ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો.અગાઉ આ પ્લાન્ટનું કાચુ દૂધ અમુલ ડેરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવતું હતું અને પરત પ્રોસેસ કરી કચ્છમાં વહેચવામાં આવતું હતું. હવે આ પ્લાન્ટ થકી વધુ બે લાખ લીટર દૂધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી એક દિવસની કચ્છ મુલાકાત દરમિયાન ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની સીએમ રૂપાણી અને અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે પરત દિલ્હી જવા રવાના થશે.

Read Next Story