એપશહેર

PM ગુજરાતના પ્રવાસે, તૌકતેથી થયેલા નુક્સાન બદલ રાહત પેકેજ જાહેર કરાય તેવી શક્યતા

એરફોર્સના હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડાંગ્રસ્ત વિસ્તારોનો એરિયલ સરવે કર્યા બાદ પીએમ મોદી અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે

I am Gujarat 19 May 2021, 1:35 pm
અમદાવાદ: ગુજરાત પર ગઈકાલે ત્રાટકેલા તૌકતે વાવાઝોડાં અને ભારે વરસાદને કારણે થયેલી નુક્સાનીનો અંદાજ મેળવવા પીએમ નરેન્દ્ર મોદી ભાવનગર આવી પહોંચ્યા છે. વાવાઝોડાંની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં થઈ છે, ત્યારે પીએમ અમરેલી, ગીર સોમનાથ, દીવ અને ભાવનગર જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરશે, અને ત્યારબાદ અમદાવાદ પહોંચી ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક કરશે.
I am Gujarat pm narendra modi on gujarat visit post cyclone likely to announce relief package
PM ગુજરાતના પ્રવાસે, તૌકતેથી થયેલા નુક્સાન બદલ રાહત પેકેજ જાહેર કરાય તેવી શક્યતા


નવી દિલ્હીથી વિશેષ વિમાનમાં ભાવનગર આવેલા પીએમ એરપોર્ટ પરથી એરફોર્સના હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ સર્વે માટે રવાના થયા હતા. તેઓ દીવ, જાફરાબાદ, ઉના અને મહુવાનો એરિયલ સર્વે કરશે. ત્યારબાદ અમદાવાદમાં રિવ્યૂ મિટિંગ યોજવામાં આવશે.

પીએમ ભાવનગર પહોંચ્યા ત્યારે સીએમ રુપાણી સહિતના સિનિયર મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તૌકતે વાવાઝોડાંને કારણે સૌથી વધુ નુક્સાન ખેડૂતોને થયું છે. સૌરાષ્ટ્રમાં તો લગભગ 90 ટકા ઉભો પાક નાશ પામ્યો છે. તેવામાં કેન્દ્ર સરકાર ગુજરાત માટે કોઈ રાહત પેકેજની ઘોષણા કરે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. સરકારના આદેશ બાદ હાલ અધિકારીઓ દ્વારા દરેક જિલ્લામાં થયેલી નુક્સાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે.

પ્રાથમિક અંદાજ અનુસાર, વાવાઝોડામાં 16 હજાર જેટલા ઘરોને નુક્સાન પહોંચ્યું છે, 40 હજાર જેટલા વૃક્ષો ઉખડી ગયા છે તેમજ 1 હજારથી વધુ વીજળીના થાંભલા ડેમેજ થયા છે. આ વાવાઝોડાંમાં 17 લોકોનાં મોત થયા છે. સૌથી વધુ નુક્સાન દરિયાકાંઠાના વિસ્તારોમાં થયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો