એપશહેર

PM મોદીના હસ્તે સોમનાથ મંદિરના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલી લોકાર્પણ

સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂનું સોમનાથ મંદિર અને વૉક વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો.

I am Gujarat 20 Aug 2021, 1:16 pm

હાઈલાઈટ્સ:

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સોમનાથમાં આજે વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી.
  • સમુદ્ર દર્શન વૉક વે, અહલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલેરીના કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપના દર્શન કરી શકાશે
  • નવા અવસર અને નવી રોજગારી વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pablo (3)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સોમનાથમાં આજે વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી. સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂનું સોમનાથ મંદિર અને વૉક વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સમુદ્ર દર્શન વૉક વે, અહલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલેરીના કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપના દર્શન કરી શકાશે. નવા અવસર અને નવી રોજગારી વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે.

પીએમ મોદી અને અમિત શાહ આ પ્રસંગે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજે મને નવીનીકરણ બાદ નવા સ્વરૂપમાં સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જૂના સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કરવાનો લ્હાવો મળ્યો છે. હું ભગવાન સોમનાથના કરોડો ભક્તોને શુભકામનાઓ આપું છું અને સાથે જ લોખંડી પુરુષ સરદાર પટેલનાં ચરણોમાં નમન કરું છું. આપણી વિચારસરણી ઈતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની અને નવું ભવિષ્ય બનાવવાની હોવી જોઈએ. તેથી, જ્યારે હું 'ભારત જોડો આંદોલન'ની વાત કરું છું ત્યારે તેનો અર્થ માત્ર ભૌગોલિક અથવા વૈચારિક જોડાણો પૂરતો મર્યાદિત નથી.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે નાશ કરનાર દળો, આતંકના આધારે સામ્રાજ્ય ઊભું કરતી વિચારસરણી અમુક સમયગાળામાં અમુક સમય માટે પ્રભુત્વ ધરાવી શકે છે, પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય કાયમી હોતું નથી, તે માનવતાને લાંબા સમય સુધી દબાવી શકતું નથી. સેંકડો વર્ષોના ઈતિહાસમાં આ મંદિર કેટલી વખત તૂટી ગયું. અહીંની મૂર્તિઓ તૂટી ગઈ, તેના અસ્તિત્વને ભૂંસી નાખવાનો દરેક પ્રયાસ કરવામાં આવ્યો. તે શિવ છે જે વિનાશમાં પણ વિકાસના બીજને અંકુરિત કરે છે, વિનાશમાં પણ સૃષ્ટિને જન્મ આપે છે તેથી શિવ અવિનાશી, અવ્યક્ત અને શાશ્વત છે.
જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે 'વડાપ્રધાન અને ગૃહમંત્રીએ સોમનાથ યાત્રાધામના વિકાસને વેગવાન બનાવી છે અને તેમના નેતૃત્વમાં સોમનાથમાં અનેક ઘણી યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.' રાજ્યના પ્રવાસનમંત્રી જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો