એપશહેર

કચ્છઃ વકીલની હત્યા મામલે દલિત સમાજ દ્વારા વિરોધ, ચક્કાજામ કરી પ્રદર્શન

સમાજના લોકો દ્વારા રસ્તા પર બેસી કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીનો મુખ્ય હાઇવે જ બ્લોક કરી દેવામાં આવ્યો હતો.

I am Gujarat 27 Sep 2020, 8:26 pm
કચ્છઃ શુક્રવારે સાંજે દલિત વકીલ દિનેશભાઈ મહેશ્વરીની સરા જાહેર છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે 12 ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી અને કચ્છ પોલીસે મુંબઈ એક ટીમ મોકલી હતી અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની મદદથી આરોપી મુંબઈથી પકડાયો હતો અને 6 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. હવે હત્યાના તમામ આરોપીઓને ઝડપી લેવાની માંગ સાથે દલિત સમાજ દ્વારા કચ્છમાં અલગ અલગ સ્થળોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
I am Gujarat protest by dalit community over lawyers murder case in kutch
કચ્છઃ વકીલની હત્યા મામલે દલિત સમાજ દ્વારા વિરોધ, ચક્કાજામ કરી પ્રદર્શન


ઠેર ઠેર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું


'જય ભીમ'ના સૂત્રોચ્ચાર દ્વારા પ્રદર્શન
દલિત સમાજ દ્વારા 'જય ભીમ'ના સૂત્રોચ્ચાર સાથે કચ્છમાં અલગ અલગ જગ્યાએ રસ્તા રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં.
કચ્છના પ્રવેશ દ્વાર સામખિયાળીનો મુખ્ય રસ્તો ચક્કાજામ કરી દેવાયો હતો. સમાજના લોકો દ્વારા રસ્તા પર બેસી મુખ્ય હાઇવે જ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જેથી હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આરોપીઓ સામે ત્વરીત પગલા ભરવાની દલિત સમાજની માંગ છે. હત્યા પછી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ પહેલા ગાંધીધામ, આડેસર, રાપર તેમજ આસ્કો સર્કલ પાસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


કચેરીમાં છરીના ઘા મારીને કરવામાં આવી હત્યા
રાપરમાં શુક્રવારે મોડી સાંજે સરા જાહેર 50 વર્ષિય વકીલને એક સમાજના બે લડતા જૂથો સાથે સંપત્તિના વિવાદ સંબંધે કેસ હાથ ધરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તેમની કચેરીમાં છરીથી ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. છેલ્લા બે દાયકાથી પ્રેક્ટિસિંગ વકીલ દેવજી મહેશ્વરીએ તેમની કાર ગ્રાઉન્ડ ફ્લોર ઓફિસની બહાર પર પાર્ક કરી હતી. જ્યારે મહેશ્વરી ઓફિસમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે એક શખ્સ તેમની પાછળ ગયો અને તેમના પર છરીથી ઉપરા છાપરી હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં બતાવે છે કે એક યુવક તેમની પાછળ ચાલે છે. હુમલા બાદ મહેશ્વરીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું થોડીવાર બાદ મોત નીપજ્યું હતું.

Read Next Story