એપશહેર

ભાવનગર: નિવૃત્ત DySPના પુત્રના સામુહિક આપઘાતનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

પુત્રએ બે દીકરી, પત્ની સાથે આપઘાત કર્યાના મામલે નિવૃત્ત DySP પિતાએ નોંધાવી છે છ શખ્સો સામે ફરિયાદ

I am Gujarat 3 Dec 2020, 11:51 am
અમદાવાદ: 16 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ પોતાની બે દીકરી અને પત્ની સાથે આપઘાત કરી લીધાનો મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે મૃતકના પિતા દ્વારા છ લોકો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે આરોપીઓએ હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી ફરિયાદ રદ્દ કરવાની માગ કરી છે.
I am Gujarat quashing petition filed in gujarat high court in bhavnagar murder and suicide case
ભાવનગર: નિવૃત્ત DySPના પુત્રના સામુહિક આપઘાતનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો


સમગ્ર કેસની વિગત એવી છે કે, નિવૃત્ત ડીવાયએસપી નરેન્દ્રસિંહ જાડેજાના દીકરા પૃથ્વીરાજસિંહ જાડેજાએ સપ્ટેમ્બરમાં બે દીકરી અને પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કરી લીધો હતો. જે મામલે નરેન્દ્રસિંહ જાડેજાએ ભાવનગરમાંપ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

તેમણે ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે રણુભા રાણા નામના શખ્સ સાથે પૃથ્વીરાજસિંહ ભાગીદારીમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હતા. જેમાં હિસાબમાં ગોટાળા કરીને મોટી રકમની ગોલમાલ કરી હતી. એટલું જ નહીં, રણુભાએ પોતાના દીકરાની સગાઈ મૃતક પૃથ્વીરાજસિંહની દીકરી સાથે કરાવી મિલકતની વસીયત લખી આપવા પણ દબાણ કર્યું હતું.

રણુભા સાથે તેમની પત્ની તેમજ અન્ય પરિવારજનોએ પણ એકબીજાની મદદગારીથી પૃથ્વીરાજસિંહને આપઘાત કરવા મજબૂર કર્યા હોવાનો નરેન્દ્રસિંહે આક્ષેપ કરતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને રણુભાના પત્નીની હાલ ધરપકડ કરી છે. જ્યારે એક સગીરા અને એક સિનિયર સિટીઝનને આરોપી તરીકે દૂર કરાયા છે. આ મામલે આરોપીઓ દ્વારા કરવામાં આવેલી ક્વોશિંગ પિટિશન પર સુનાવણી કરતા કોર્ટે હાલ બાકીના ત્રણ આરોપીઓ સામે કોઈ સખત પગલા ના લેવા માટે આદેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં પૃથ્વીરાજસિંહે પોતાની રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી પત્ની અને બે દીકરીઓ તેમજ પાળતું ડૉગને પણ મારી દીધા હતા, અને પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટના બની ત્યારે મૃતકે ઘરના દરવાજા ખૂલ્લા રાખ્યા હતા, અને આપઘાત કરતા પહેલા મિત્રોને મેસેજ કરી તેના અંગે જાણ કરી હતી.

આ ઘટનાના બીજા મહિને મૃતકના પિતાએ પૃથ્વીરાજસિંહના સાઢુભાઈ થતાં અને તેમની સાથે ભાગીદારીમાં ધંધો કરતા રણુભા તેમજ તેમના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં રણુભાએ 45 લાખ રુપિયા જેટલી રકમની ગોલમાલ કરી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક પૃથ્વીરાજસિંહે પોતાની ડાયરીમાં સાઢુએ મોટા ગોટાળા કરવા ઉપરાંત પોતાને ત્રાસ આપ્યો હોવાના પણ આક્ષેપ કર્યા હતા. આ હત્યાકાંડ થયો ત્યારે જ તેની પાછળ કોઈ મોટું કારણ જવાબદાર હોઈ શકે તેવી ચર્ચા જાગી હતી.

Read Next Story