એપશહેર

રાજકોટઃ માએ તરછોડ્યા પછી કૂતરાઓના મોઢામાંથી બચાવાયેલી બાળકી અંબેની તબિયત સુધરી

Tejas Jinger | I am Gujarat 21 Apr 2020, 12:08 pm
રાજકોટઃ તાજી જન્મેલી બાળકીને તરછોડી દીધા બાદ કુતરાઓએ તેને બચકા ભરી લીધા હતા. લોહીલુહાણ હાલતમાં મળેલી બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેના સ્વાસ્થ્ય અંગે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી હતી. આ બાળકીને અંબે નામ આપવામાં આવ્યું છે. 52 દિવસ બાદ આ બાળકીનું સ્વાસ્થ્ય સારું થયું છે. જોકે, કોરોના વાયરસને ફેલાવાના ધ્યાનમાં રાખીને તેને હાલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી.આ બાળકી ભીંથરી અને થેંબડાની સિમમાંથી મળી આવી હતી, આ દરમિયાન જોવા મળ્યું હતું કે કૂતરા તેના પર હુમલો કરી રહ્યા હતા. બાળકીને પોલીસને સોંપવામાં આવ્યા બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી, આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ બાળકીની ખબર કાઢી હતી અને જરુરી તમામ પગલા ભરવા માટે ડૉક્ટરોને સૂચના આપી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: શરુઆતમાં જ્યારે બાળકીને દાખલ કરવામાં આવી ત્યારે તેની સ્થિતિ ઘણી જ ગંભીર હતી તેને ઈન્ફેક્શન પણ મોટા પ્રમાણમાં લાગેલું હતું. આ પછી બાળકીની સ્થિતિને જોતા તેને સારી સુવિધાઓ મળી રહે તે માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેની સારવાર કરી રહેલા ડૉક્ટરે પણ બાળકી અંબેની સ્થિતિ સારી હોવાનું જણાવ્યું છે.ડૉક્ટરે જણાવ્યું કે, બાળકીના હિપના સાંધામાં ઈન્ફેક્શન થવાથી તેમાં લોહીની ગાંઠ બની છે જેની સારવાર કરવામાં આવી રહી છે. હવે બાળકીનું વજન ત્રણ કિલોગ્રામ થયું છે અને તેના ઈન્ફેક્શનને વધારે ફેલાતું અટાકવાવા માટે તેને દૂર કરવા માટે દૂધ પણ આપવામાં આવી રહ્યું છે. ભારતમાં આવી રહી છે આ સસ્તી ઈલેક્ટ્રિક કાર, 5 મિનિટના ચાર્જમાં 50 કિમી ચાલશે

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો