એપશહેર

રાજવી પરિવારની મિલકતનો વિવાદ: રાજકોટના ઠાકોરે બહેન સામે કર્યો મોટો આક્ષેપ

રાજકોટના રાજવી પરિવારની 1500 કરોડની મિલકતના વિવાદમાં હવે માંધાતાસિંહ જાડેજાએ કોર્ટમાં એફિડેવિટ કરીને તેમના બહેન અંબાલિકાદેવી સામે મોટા આક્ષેપ કર્યા છે.

I am Gujarat 23 Sep 2021, 5:40 pm
અમદાવાદ: રાજકોટના રાજવી પરિવારની 1500 કરોડની મિલકતના વિવાદમાં નવો વળાંક આવ્યો છે .રાજકુમારી અંબાલિકાદેવી દ્વારા મિલકતમાં પાંચમો ભાગ માગવા અંગે રાજકોટના ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ કોર્ટમાં સોગંધનામું કરી કર્યું છે. જેમાં તેમણે તેમના બહેન અંબાલિકાદેવીએ માત્ર રૂપિયા પડાવવાના ઈરાદે આ દાવો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કોર્ટ સમક્ષ પોતાના જવાબમાં માંધાતાસિંહે એવું પણ કહ્યું કે, અંબાલિકાદેવી જે મિલકતમાં હક્ક માંગી રહ્યા છે, તે વડિલોપાર્જિત છે, તેવું તેમણે પૂરવાર કરી બતાવવું પડશે. આ કેસમાં અંબાલિકાદેવીએ પોતાના માતા અને બે બહેનોને પણ જોડ્યા છે. તેમના દ્વારા આ મામલે ખુલાસો રજૂ કરવા સમય માગવામાં આવતા કેસમાં મુદ્દત પડી છે અને હવે પછી 11 ઓક્ટોબરે સુનાવણી થશે.
I am Gujarat Rajkot Royal Family


માંધાતાસિંહે કરેલા સોગંધનામામાં વધુમાં જણાવાયું છે કે, રાજકુમારીએ સિવિલ કોર્ટમાં કરેલો દાવો શુધ્ધબુદ્ધિ વિનાનો અને ખોટી વિગતો આધારિત છે. તેમણે કહ્યું કે, વચગાળાના મનાઈ હુકમ માટેની અરજી રદ થવા પાત્ર છે, ખરેખર તો જો આવો સ્ટે મળે તો એનાથી પોતાને (રાજવીને) જ નુકસાન થાય તેમ છે.
Mata Na Madh : માતાના મઢમાં પતરી વિધિ કચ્છના મહારાણી કરશે, ભુજની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
રાજકોટના ઠાકોરે પોતાના વકીલ મારફતે રજૂ કરેલા 27 પાનાના જવાબમાં તેમણે કહ્યું છે કે, આ કેસ માત્ર તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને રૂપિયા પડાવવાના ઈરાદે (તેમના બહેન દ્વારા) કરવામાં આવ્યો છે. તેમાં કહેવાયું છે કે, રજવાડા નાબુદી વખતે છેલ્લા રાજવી પ્રદ્યુમનસિંહ જાડેજા (તેમના દાદા)એ ભારત સરકાર સાથે થયેલા કોવેનન્ટ મુજબ મિલકતો તેમની સ્વપાર્જિત હતી, જે તેમણે 1973ના વિલથી પોતાના પુત્ર મનોહરસિંહને આપી અને અંબાલિકાદેવીએ સબરજિસ્ટ્રાર કચેરીમાં કબુલ કરેલું કે તેમને (મનોહરસિંહ જાડેજાને) મિલકતનું વિલ કરવાનો અધિકાર છે. આમ છતાં, લાંબા સમય પછી તેઓ ફરી ગયા. આ ઉપરાંત બહેન અંબાલિકાદેવી પાસેથી આ કેસનો સ્પેશયલ ખર્ચ અપાવીને સ્ટેની અરજી રદ કરવામાં આવે તેવી દાદ પણ આ સોગંધનામામાં કરવામાં આવી છે.
જ્યાં ચાહ ત્યાં રાહ! પિતા રોજના ₹150 કમાતા હતા, સંઘર્ષ કરીને દીકરી ડેપ્યુટી કલેક્ટર બની
માંધાતાસિંહે કરેલા પ્રતિ આક્ષેપોમાંધાતાસિંહે પોતાની બહેને કરેલા કેસ સામે પ્રતિ આક્ષેપ કરતા કહ્યું કે, કોર્ટને જે હકીકતો જણાવવી જોઈતી હતી તે ન જણાવી, મટિરિયલ ફેક્ટ સપ્રેસ કરાયા. તેમણે કહ્યું કે, મિલકતોનું સંચાલન પિતા વતી પુત્ર માંધાતાસિંહ કરતા હતા, એ કથન ખોટું છે. મનોહરસિંહ લર્નેડ હતા અને પોતે સંચાલન કરતા હતા. તેમણે દાવો કર્યો છે કે, મનોહરસિંહની વસિયત અંબાલિકાદેવીએ વાંચી જ હતી, તે પછી રીલિઝ ડીડ રજિસ્ટર્ડ થયું, તેમાં તેમના ઉપરાંત તેમના પતિ અને પુત્રોની સહીઓ પણ છે. તેમજ વસિયતનામાના બે સાક્ષી ડો. ગૌતમ દવે અને કિરીટ વસા એ બંને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેમનાં સોગંધનામા રજૂ કરવાની પણ તૈયારી પણ તેમણે બતાવી છે. તેમણે મંદિરના નામે રિલીઝ ડીડ કરાવી લેવાયાની વાતને ખોટી જણાવતા તેને આફ્ટર થોટ અને બદઈરાદાવાળું જણાવ્યું. માંધાતસિંહે કહ્યું કે, પાવર ઓફ એટર્ની સમયે વડીલોપાર્જિત મિલકતમાં પાંચમા ભાગના હિસ્સાનું વચન આપ્યાની વાત નિરર્થક છે. માંધાતાસિંહની તિલકવિધિ વખતે અંબાલિકાદેવીના પુત્ર સાથે ગેરવર્તન થયાની વાત પૂર્વગ્રહ ઉત્પન્ન કરવા માટેની, કોર્ટને ગેરમાર્ગે દોરનારી અને મિલકતને તકરારી બનાવવા માટેની હોવાનું પણ તેમનું કહેવું છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે, વર્ષ 2021ના એપ્રિલ મહિનાથી લિગલ બ્રેઈન અસ્તિત્વમાં આવ્યાનું જણાય છે, 17 એપ્રિલ પછી બહેનની વર્તણૂકમાં ફેરફાર આવ્યો.

Read Next Story