એપશહેર

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાની સારવાર દરમિયાન ચેન્નઈમાં નિધન

PM મોદીએ સાંસદને શ્રદ્ધાંજલિ પાઠવી, પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

I am Gujarat 1 Dec 2020, 6:00 pm
અમદાવાદઃ રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજને કોરોના થયા બાદ છેલ્લા ત્રણ મહિનાથી તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન આજ રોજ ચેન્નઈની હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કરી પરિવારને સાંત્વના પાઠવી છે.
I am Gujarat rajyasabha mp abhay bhardwaj died in channai hospital during corona treatment
રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાની સારવાર દરમિયાન ચેન્નઈમાં નિધન


પીએમ મોદીએ સાંસદને શ્રદ્ધાંજલિ પાઠવતા ટ્વીટ કર્યું કે, 'ગુજરાત રાજ્યસભાના સાંસદ શ્રી અભય ભારદ્વાજ જી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા. દુખદ છે કે રાષ્ટ્રીય વિકાસ માટે જુસ્સેદાર એવા એક તેજસ્વી અને સમજદાર વ્યક્તિ ગુમાવી દીધા છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.'



ઉલ્લેખનીય છે કે ગત 31 ઓગસ્ટના રોજ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર કોરોના સંક્રમિત થયા હતા. અભય ભારદ્વાજને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફેફસામાં ઈન્ફેક્શનની સારવાર માટે સુરત અને અમદાવાદથી તબીબોની ટીમને રાજકોટ મોકલવામાં આવી હતી. જોકે તેમની તબિયતમાં સુધારો ન દેખાતા તેમને વધુ સારવાર માટે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો