એપશહેર

સોમનાથ મંદિરે જતાં ભક્તોને માટે નવલું નજરાણું, 1 કિમી લાંબો સમુદ્ર દર્શન વોક વે તૈયાર

આશરે રુ. 45 કરોડના ખર્ચે સાગર દર્શન નામથી 1 કિમી લાંબો વોક વે તૈયાર કરવામાં આવ્યો. જ્યાં દિવાલો પર ભારતની સંસ્કૃતિને દર્શાવતા ચિત્રો બનાવાયા છે.

I am Gujarat 19 Aug 2021, 2:08 pm
સોમનાથઃ ભારત સરકારની પ્રસાદ યોજના તેમજ ગુજરાત ટૂરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી 4 પ્રોજેક્ટનું શુક્રવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી ઈ લોકાર્પણ કરશે. જેમાં સૌથી મહત્ત્વાકાંક્ષી યોજના સાગર દર્શન નામનો એક કિ.મી. લાંબો વોક-વે 45 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. અહિલ્યાબાઈ નિર્મિત સોમનાથ મહાદેવના મંદિરનાં વિકાસકામોનું પણ ખાતમુહૂર્ત કરાશે તેમજ સોમનાથ મંદિર પરિસરમાં 30 કરોડના ખર્ચે નિર્માણ થનારા પાર્વતી મંદિરનું ભૂમિપૂજન કરાશે.
I am Gujarat somnath 1 km long sagar darshan walk way is ready tourist can take walk on see view road
સોમનાથ મંદિરે જતાં ભક્તોને માટે નવલું નજરાણું, 1 કિમી લાંબો સમુદ્ર દર્શન વોક વે તૈયાર

ગરીબ માતાનું સ્વપ્ન દીકરાએ પૂર્ણ કર્યું, 50માં બર્થડે પ્રેઝન્ટમાં હેલિકોપ્ટરમાં બેસાડીને ફેરવી
વૉક-વેનું લોકાર્પણ થતાં જ એના પર સ્કૂલના વિદ્યાર્થીઓ, વિવિધ જૂથનાં લોકનૃત્યો, જૂનાગઢ પોલીસ બેન્ડ, વિવિધ પૌરાણિક પાત્રો સાથેના રથ, બાંટવાની જય ચામુંડા રાસમંડળીના દાંડિયારાસ, ચોરવાડનું ટિપ્પણી નૃત્ય અને સીદી બાદશાહના ધમાલ નૃત્ય સાથેની શોભાયાત્રા પણ નીકળવાની છે. વોક-વે પથ પર લોકો સાઇલિંગની મજા પણ માણી શકશે. વોક-વેમાં ભારતની સંસ્કૃતિને દર્શાવતી ચિત્ર ગેલરી બનાવવામાં આવી છે. એમાં વોક-વે પર ભારતની સંસ્કૃતિને લગતી ચિત્ર ગેલરી નિહાળી શકાશે. આ ચિત્ર ગેલરી રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદ્રશ કરતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે તેમજ મ્યુઝિક અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેશે, જેથી રાત્રિના સમયે વોક-વેનો સુંદર નજારો માણવાનો લહાવો પણ મળશે.
મણિનગરમાં યુવકે માતા અને કાકાની હત્યા કરી પોતે પણ મરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો

શ્રીપાર્વતી મંદિર અંદાજે રુ. 30 કરોડના ખર્ચે તૈયાર કરાશે. જે સોમપુરા સલાટ શૈલીથી બનાવાશે. 380 સ્કવેર મીટરનો ગર્ભ ગૃહ અને 1250 સ્ક્વેર મીટરનો નૃત્ય મંડપ પણ બનાવાશે. ઉદ્ઘાટન અને શિલાન્યાસના આ કાર્યક્રમ સમયે કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રવાસનપ્રધાન, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
દગાની ખૂની કહાનીઃ ઈમરાનથી વૃષભ બન્યો, નૈનીતાલ હોટેલમાં પ્રેમિકાની હત્યા, આ રીતે પકડ્યો
કેન્દ્ર સરકારની પ્રસાદ (પિલગ્રીમ રિજુવેનેશન એન્ડ સ્પિરીચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ) યોજના હેઠળ આ માટે તમામ નાણાકીય મદદ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ યોજનાનુ લોકાર્પણ વર્ષ 2014-15માં વડાપ્રધાને જ કર્યું હતુ. યાત્રાધામ અને હેરિટેઝ પ્રવાસન સ્થળો વચ્ચે સુમેળ સાધવાના હેતુથી આ યોજનાને અમલમાં મુકાયેલી છે. જેના લીધે રોજગારી સર્જાશે અને અર્થતંત્રને લાભ પણ થશે. પ્રવાસન સ્થળો પર વિશ્વસ્તરીય સુવિધા આપવાનો મુખ્ય હેતુ છે. જૂના સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર રુ. 3.5 કરોડના ખર્ચે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાયો છે. આ મંદિરને ઈંદોરના રાણી અહલ્યાબાઈએ બનાવ્યું હતુ. સ્થાનિક લોકો આ મંદિરને અહલ્યા મંદિર પણ કહે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો