એપશહેર

રાજકોટઃ સુપરમાર્કેટના માલિકે ઈ-કોમર્સ કંપનીમાં રોકેલા રૂ. 75 લાખ ડૂબી જવાના ડરથી કરી જીવન ટૂંકાવ્યું

રાજ્યમાં દિવસને દિવસે આપઘાતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી એક વેપારીના આપઘાતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ઓમેગા સુપર માર્કેટના વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વેપારીએ ઈ કોમર્સ કંપનીમાં રોકેલા નાણા પરત નહીં મળે તેવી આશંકાએ આપઘાત કરી લીધો હતો. સમગ્ર આપઘાત મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Edited byમિહિર સોલંકી | I am Gujarat 1 Jun 2023, 12:01 am
રાજકોટ: રાજકોટમાંથી વેપારીઓ આપઘાત કર્યો હોવાના સમાચાર પાપ્ત થયા છે. રાજકોટના પંચાયત ચોક પાસે આવેલા ઓમેગા સુપરમાર્કેટના માલિક અલ્પેશ કરોડીયાએ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા અલ્પેશભાઈએ માતા-પિતા અને મિત્રોને ઉદ્દેશી એક ચિઠ્ઠી લખી હતી. જેમાં ઈ કોમર્સ કંપનીમાં રોકેલા પોણા કરોડ જેટલા નાણા પરત નહીં મળે તેની ચિંતામાં તેમને આ પગલુ ભર્યુ હોવાનું લખ્યુ છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
I am Gujarat રાજકોટમાં વેપારીનો આપઘાત
રાજકોટમાં વેપારીનો આપઘાત


મળતી જાણકારી મુજબ, રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા રોયલ એલીગન્સમાં રહેતા અલ્પેશ કોરડીયા નામના યુવકે ગઈકાલ એટલે કે 30 મે, 2023ના રોજ તેમા ઓમેગા સુપરમાર્કેટની ઓફિસમાં આપઘાત કરી લીધો હતો. બપોરના સમયે સુપરમાર્કેટ બંધ રહેતુ હોવાથી અલ્પેશભાઈના પત્ની પ્રતિક્ષાબેને ફોન લગાવ્યો હતો. જો કે, અલ્પેશભાઈએ ફોન રિસિવ ન કરતા પ્રતિક્ષાબેન સુપર માર્કેટ પહોંચ્યા હતા અને પાછળના દરવાજેથી જે તેવા અંદર ગયા ત્યારે તેમના પતિએ આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને એક ચિઠ્ઠી મળી આવી હતી.

ઈબે કંપનીમાં કર્યુ હતુ 75 લાખ રૂપિયાનું રોકાણ

યુનિવર્સિટી પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અલ્પેશભાઈએ તાજેતરમાં ઈ- કોમર્સ કંપનીમાં 75 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ. જેના કારણે તેમને ચિંતા સતાવી રહી હતી કે, તેમના રોકાણના પૈસા ડૂબી જશે. જેના કારણે તેમને આપઘાતનું પગલુ ભર્યુ હોય તેવુ પોલીસનું પ્રાથમિક તપાસમાં માનવુ છે.

સુપર માર્કેટના CCTV બંધ કરીને ભર્યુ પગલુ

પોલીસે સમગ્ર માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અલ્પેશભાઈએ તેમની ઓફિસમાં જ આપઘાત કર્યો હતો. તેઓ બપોરના સમયે પોતાના શોપિંગમાં પહોંચ્યા હતા અને મેઈન સ્વીચ પાડીને CCTV બંધ કરી દીધા હતા અને ત્યાબાદ અંતિમ પગલુ ભર્યુ હતું.સમગ્ર આપઘાત કેસ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
લેખક વિશે
મિહિર સોલંકી
મિહિર સોલંકી છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઈન ડેવલોપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે અને દિવ્યભાસ્કર, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ફર્સ્ટ અને વીટીવી ન્યૂઝ સાથે તેમણે અગાઉ કામ કર્યું છે.... વધુ વાંચો

Read Next Story