એપશહેર

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે પાટડીમાં સફાઈ કામદારોને વેક્સીન લેવાની સલાહ આપી

સપ્તાહ પહેલા વડોદરામાં રસી લીધા બાદ એકનું મોત અને તેના બીજા દિવસે 15 પોલીસ તાલીમાર્થીઓને આડઅસર થતાં પાટડીના સફાઈ કામદારોને રસી લેવાની ઈચ્છા નહોતી.

I am Gujarat 9 Feb 2021, 12:05 am
સુરેન્દ્રનગર: ગુજરાત સહિત દેશભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓને રસી આપ્યા બાદ હવે ફ્રન્ટલાઈન વોરિયર્સને આપવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના કલેક્ટરે પાટડી તાલુકામાં સફાઈ કામદારોને કોરોનાની વેક્સીન લેવાની સલાહ આપી છે. કારણ કે, ગત અઠવાડિયે વડોદરામાં બનેલી ઘટના બાદ તેઓ વેક્સિનેશન માટે તૈયાર નહોતા.
I am Gujarat 14


જણાવી દઈએ કે, વડોદરામાં એક અઠવાડિયા પહેલા કોરોના વેક્સિન મૂકાયા બાદ એક સફાઇ કર્મચારીના મોત થયું હતું, અને તેના બીજા દિવસે વડોદરા પોલીસ તાલીમ શાળાના 15 પોલીસ તાલીમાર્થીને કોરોના વેક્સિનની આડઅસર થઈ હતી. જેથી તમામ પોલીસ તાલીમાર્થીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. કોરોના વેક્સિન લીધા બાદ સફાઇ કર્મચારીના મોત તેમજ પોલીસ તાલીમાર્થીઓને વેક્સિનની અસર થતાં કોરોના વોરિયર્સમાં વેક્સિન લેવામાં ગભરાટ ફેલાઇ ગયો હતો, જેથી કરીને સુરેન્દ્રનગર કલેક્ટરે સફાઈ કામદારોને ગભરાયા વગર રસી લેવાની સલાહ આપી હતી.
24 કલાકમાં 49,005 વ્યક્તિઓને અપાઈ વેક્સીન
દેશભરમાં અત્યાર સુધી આશરે 20 લાખ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે, સૌથી વધારે વેક્સિનેશન મામલે કર્ણાટક ટોપ પર છે. ગુજરાતમાં પણ 24 કલાકમાં 976 કેન્દ્રો પર 49,005 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 6,04,184 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. હાલ ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે, જો કે, તેના બાદ 50 કે તેથી વધુ ઉમરના વ્યક્તિને વેક્સીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 232 કેસ નોંધાયા
ભારતમાં કોરોના વાયરસના દર્દીઓનો મૃત્યુદર 1.43% છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોમાંથી 1,05,22,601 લોકો અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ગયાં છે. બીજી બાજુ ભારતે અફઘાનિસ્તાનના લોકોને પણ ગિફ્ટમાં રવિવારે કોવિડ-19 વેક્સીનના પાંચ લાખ ડોઝ સોંપ્યા છે. 24 કલાકમાં કોરોનાના 232 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 232 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 450 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 257120 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 97.51%એ પહોંચ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો