એપશહેર

ગોંડલમાં 16 વર્ષનાં પ્રેમી-પ્રેમિકાનો ઝાડ પર ગળે ફાંસો ખાઈને આપઘાત

નવરંગ સેન | I am Gujarat 10 Jul 2019, 2:58 pm
રાજકોટ: રવિવારથી ગુમ પ્રેમીપંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ગોંડલમાં રહેતા મેહુલ રાઠોડને રિદ્ધિ રાપુચા નામની કિશોરી સાથે પ્રેમસંબંધો હતાં. બંને રવિવાર સવારથી જ ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ તેમની અનેક શોધખોળ કરી હતી, પરંતુ મેહુલ અને રિદ્ધીનો કોઈ અતોપતો નહોતો લાગ્યો. હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો જોકે, આ પ્રેમીપંખીડાની લાશ આજે લીમડાના ઝાડ પર લટકતી મળી આવતા લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. પોલીસને આ અંગે જાણ કરતા પોલસે ઘટનાસ્થળ પર પહોંચી બંનેના મૃતદેહ નીચે ઉતાર્યા હતા, અને પીએમ માટે ખસેડામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, સમાજ પોતાના સંબંધોને સ્વીકારશે નહીં તેવા ડરથી આપઘાત કરી લેનારા મેહુલ અને રિદ્ધિ બંનેની ઉંમર માત્ર 16 વર્ષની હતી.
પોલીસે બંનેના મૃતદેહ નીચે ઉતારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા મેહુલ અને રિદ્ધિના આપઘાતના સમાચાર તેમના પરિવારનોને મળતા બંને પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. તેમાંય રિદ્ધિ તો તેના મા-બાપની એકની એક દીકરી હતી. સાવ સામાન્ય પરિસ્થિતિમાં જીવતા બંને પ્રેમીપંખીડાના પરિવારજનોએ ભારે હ્રદયે તેમની અંતિમ વિધિની તૈયારીઓ શરુ કરી હતી.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો