એપશહેર

બોટાદઃ પોલીસની ગાડીની ટક્કરથી રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો, 3નાં મોત

Tejas Jinger | I am Gujarat 15 Oct 2019, 11:34 am
રાજકોટઃ બોટાદમાં બરવાળા ચોકડી પાસે પોલીસની જીપ અને રિક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. જેમાં રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ ગંભીર અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટના રાત્રે બની હતી. બોટાદ પોલીસની પીસીઆર વાન બરવાળા તરફ જઈ રહી હતી આ દરમિયાન સામેથી આવતી રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બોટાદમાં બરવાળી ચોકડી પાસે અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિઆ અકસ્માત એટલો ગંભીર છે કે રિક્ષાનો કચ્ચરઘાણ છે. બરવાળા ચોકડી પાસેથી પસાર થતા લોકોને રિક્ષાની હાલત જોઈને કંપારી છૂટી રહી છે. આ અકસ્માત સર્જાવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. અકસ્માતની તસવીરો કંપારી છૂટી જાય તેવી છે.

Read Next Story