એપશહેર

ભાવનગરઃ 8 માસના પુત્રને બચાવવા માટે માતા-બહેન તળાવમાં કૂદ્યા, ત્રણેયના મોત

Hitesh Mori | I am Gujarat 23 Oct 2019, 10:47 pm
ભાવનગરઃ ખારી ગામ પાસે આવેલા તળાવમાં માતા સાથે બે સંતાનો ડૂબી જતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 8 માસનો પુત્ર રમતા રમતા તળાવમાં પડી જતા માતા અને પુત્રી બચાવવા માટે કૂદ્યા હતા. જેમાં ત્રણેયના મોત નીપજ્યા હતા. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો સ્થાનીક ટીવી ચેનલના અહેવાલ મુજબ કર્નાડ અને ખારી ગામ વચ્ચે આવેલા તળાવ પાસે રહેતા નરેશભાઈ રાઠોડની પત્ની નયના બેન(27) પોતાના બાળકો સાથે તળાવ પાસે હતા. આ સમયે તેમનો 8 મહિનાનો પુત્ર રમતા રમતા તળાવમાં પડી ગયો. પુત્રને બચાવવા માટે નયનાબેન કંઈ પણ વિચાર કર્યા વગર કૂદી પડ્યા. માતા અને ભાઈને બચાવવા માટે 4 વર્ષની પુત્રી પણ કૂદી ગઈ હતી. તળાવમાં કૂદેલા ત્રણેયના ડૂબી જવાથી મોત થયા. ગામના લોકો બચાવ માટે દોડી આવ્યા પરંતુ તે પહેલા જ તેઓ ડૂબી ગયા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો