એપશહેર

જે.એમ. બિશ્નોઈ આપઘાત કેસમાં નવો વળાંક, લાંચની રકમના હિસાબની મળી ડાયરી

રાજકોટમાં ફોરેન ટ્રેડના જોઈન્ટ ડિરેક્ટરે ગયા શનિવારે જ આપઘાત કરી લીધો હતો. પાંચ લાખની લાંચ લેતા સીબીઆઈએ તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જે બાદ તેઓએ આપઘાત કર્યો હતો. ત્યારે આ કેસમાં પોલીસને એક ડાયરી મળી છે. જેમાં લાંચની રકમનો હિસાબ મળી આવ્યો છે. લાંચની રકમનો ભાગ કયા કયા અધિકારીને આપવામાં આવ્યો તેનો પણ તેમાં ઉલ્લેખ હોવાનું સૂત્રોનું કહેવું છે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 27 Mar 2023, 3:06 pm

હાઈલાઈટ્સ:

  • રાજકોટમાં ફોરેન ટ્રેડના અધિકારીના આપઘાતમાં આવ્યો વળાંક
  • પોલીસને લાંચની રકમની હિસાબવાળી એક ડાયરી મળી આવી છે
  • તપાસનો રેલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat rajkot j m bishnoi suicide case
પોલીસને લાંચની રકમના હિસાબવાળી એક ડાયરી મળી છે.
રાજકોટઃ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડિરેક્ટર જે.એમ. બિશ્નોઈ ગયા શુક્રવારે પાંચ લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. સીબીઆઈ દ્વારા બિશ્નોઈને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બાદ તેમને તેમની ઓફિસમાં સર્ચ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં શનિવારે બિશ્નોઈએ ઓફિસના ચોથા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. ત્યારે આ આપઘાત કેસમાં એક નવો વળાંક આવ્યો છે. જે.એમ. બિશ્નોઈના ત્યાં તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી મળી છે. જેમાં લાંચની રકમના કરવામાં આવેલા હિસાબ છે. જેમાં કેટલી લાંચ મળી અને કેટલી લાંચની રકમ કયા કયા અધિકારીને પહોંચાડવામાં આવી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૂત્રોનું માનીએ તો દર મહિને કોને કેટલો હિસાબ પહોંચાડવામાં આવતો હતો તેનો પણ ડાયરીમાં ઉલ્લેખ છે.
લાંચની રકમના હિસાબવાળી ડાયરી મળી
જે.એમ.બિશ્નોઈ કેસમાં પોલીસને જે ડાયરી મળી છે તેમાં લાંચની રકમનો હિસાબ સામે આવ્યો છે. જે બાદ તપાસનો રેલો ફોરેન ટ્રેડના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે એવી શક્યતા છે. એટલું જ નહીં બિશ્નોઈ મોટી રકમની લાંચ લેતા હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ સીબીઆઈને બિશ્નોઈ લાંચ લેતા હોવાની પણ અનેક ફરિયાદો મળી હતી. તો બિશ્નોઈના આપઘાત બાદ તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. બાદમાં પરિવારની મેજિસ્ટ્રેટ તપાસની માગ સ્વીકારી લેવાતા તેઓએ 36 કલાક બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો. આ કેસમાં સીબીઆઈના અધિકારીઓના નિવેદન પણ લેવામાં આવશે.
Ahmedabad News: PCBએ સટ્ટાબાજી-ડબ્બા ટ્રેડિંગમાં ₹1800 કરોડના હવાલા રેકેટનો કર્યો પર્દાફાશ
રુપિયા ભરેલું પોટલું ફ્લેટની ગેલેરીમાંથી નીચે ફેંક્યું
જે.એમ. બિશ્નોઈ લાંચ અને આપઘાત કેસમાં સીબીઆઈએ તેમના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જ્યાંથી તેમને રુપિયા 50 લાખ અને ચાંદીના સિક્કા ભરેલું પોટલું મળી આવ્યું હતું. જ્યારે સીબીઆઈએ જે.એમ. બિશ્નોઈની ઓફિસમાં રેડ પાડી અને એ વાતની જાણ તેમની પત્નીને થઈ ત્યારે તેઓએ અને તેમના પુત્રએ 50 લાખ રોકડ અન ચાંદીના સિક્કા ભરેલું પોટલું સામેના ફ્લેટમાં ફેંકી દીધુ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
ધાર્મિક પ્રસંગે ધૂણી રહેલા ભુવાનું હાર્ટ એટેકથી મોત, અચાનક જ જમીન પર ઢળી પડ્યા
રુપિયા ભરેલું પોટલું ફેંકતો વિડીયો આવ્યો સામે
આ સિવાય બિશ્નોઈના પત્નીએ ફ્લેટની ગેલેરીમાંથી રુપિયા ભરેલું પોટલું ફેંક્યુ હતુ અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગેલેરીમાં ચૂંદડી પડી ગઈ હોવાનું બહાનુ કાઢીને બિશ્નોઈના પત્ની પોટલું લેવા માટે ગયા હતા. આ મામલે શંકા જતા પાડોશીઓએ સીબીઆઈને જાણ કરી હતી. જે બાદ સીબીઆઈએ 50 લાખ રુપિયા ભરેલું પોટલું પણ કબજે કર્યુ હતુ. આમ જોવા જઈએ તો સીબીઆઈએ આ કેસમાં લાખો રુપિયા સહિત ચાંદીના સિક્કા પણ કબજે કર્યા છે.

ચૂંદડી પડી ગઈ હોવાનું બહાનું કાઢ્યું
મહત્વનું છે કે, જ્યારે સીબીઆઈએ ઘરમાં દરોડા પાડ્યા ત્યારે બિશ્નોઈની પત્ની ઘરમાં પડેલી રોકડ રકમ સગેવગે કરવામાં લાગી ગયા હતા. બિશ્નોઈની પત્નીએ રુપિયા અને ચાંદી સિક્કા ભરેલું પોટલું બાજુના ફ્લેટમાં નાખી દીધું હતું. બાદમાં પત્ની અને દીકરો આ ફ્લેટના માલિક પાસે ચાવી માગવા ગયા હતા. તેઓએ એવું કહ્યું હતું કે, ત્યાં તેમની ચૂંદડી પડી ગઈ છે. માલિકે ચાવી ન આપતા તેઓએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી. બાદમાં આ બનાવની જાણ સીબીઆઈને કરવામાં આવી હતી. એ પછી સીબીઆઈએ આ પોટલું કબજે કર્યુ હતુ. સીબીઆઈની ટીમ સાથે સોસાયટીની કમિટીના મેમ્બર સહિતના લોકો આ રુપિયાની ગણતરી કરવા લાગી ગયા હતા.
latest Rajkot News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story