લંડનમાં રહેતા એક ભારતીય કપલ સામે ઈન્શ્યોરન્સના રૂપિયા માટે પોતાના 11 વર્ષના દત્તક દીકરાની હત્યા પ્લાન કરવાનો આરોપ છે. આ કપલ ટૂંક જ સમયમાં ભારત સરકારને સોંપાય તેવી શક્યતા છે. ભારતીય ઓથોરિટીના જણાવ્યા મુજબ કપલે 1.3 કરોડ રૂપિયાના ઈન્શ્યોરન્સ માટે તેમના 11 વર્ષના બાળકની હત્યાની વ્યવસ્થા કરાવી હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરુ કરવા અહીં ક્લિક કરો જો કે એરપોર્ટ પર કામ કરતી 55 વર્ષની આરતી ધીર અને 30 વર્ષના કવલ રાઈજાદાએ 2017માં ગોપાલ સેજાનીને ચાકુ મારીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં સંડોવણીનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પતિ-પત્ની બંને હેનવેલ વિસ્તારમાં રહે છે. તે 2015માં ગુજરાતના કેશોદમાં બાળકને દત્તક લેવા આવ્યા હતા. મેઈલ ઓનલાઈનના રિપોર્ટ અનુસાર તેમણે એક સ્થાનિક સમાચારપત્રમાં જાહેરાત આપીને વાયદો કર્યો હતો કે તે દત્તક લીધેલા બાળકને પોતાની સાથે લંડન લઈ જશે. ધીરે ગોપાલના નામે રૂ. 1.36 કરોડની ઈન્શ્યોરન્સ પોલિસી લીધી હતી. તેની રકમ 10 વર્ષ પછી અથવા તેના મૃત્યુ બાદ મળવાની હતી. દત્તક લીધા પછી તેણે બે પ્રિમિયમ વહેલા ભરી દીધા હતા. લીગલ ડોક્યુમેન્ટ્સમાં પણ આવું જોવા મળે છે. ગુજરાત જુનાગઢ પોલીસના સુપ્રિન્ટેન્ડન્ટ સૌરભ સિંહ જણાવે છે, “આ ઘણી મોટી રકમ હતી. તેણે બે પ્રિમિયમ ફટાફટ ભરી દીધા હતા. તેમને ખબર હતી કે ગોપાલ મૃત્યુ પામશે તો તેને ઈન્શ્યોરન્સની રકમના 10 ગણી રકમ મળશે.” રિપોર્ટ્સ અનુસાર ગોગપાલ સેજાની નામના છોકરાને 2017માં બે બાઈક સવાર ઊઠાવી ગયા હતા અને પછી તેના પર ચાકુના ઘા કરીને તેને રસ્તા પર નાંખી દીધો હતો. થોડા દિવસ રહીને ગોપાલનું મૃત્યુ થયું હતું. ધીર અને રાઈજાદા સામે છ ગુના દાખલ છે. તેમાં હત્યાના કાવતરા અને અપહરણના ગુના શામેલ છે. તેમની જૂન 2017માં યુ.કેમાં ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે 2 જુલાઈના રોજ વેસ્ટ મિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે માનવતાના ધોરણે તેમને ભારતને સોંપવાનો ઈન્કાર કરી દીધો હતો.
રૂ.1.3 કરોડના ઈન્શ્યોરન્સ માટે 11 વર્ષના દીકરાની હત્યાનો પ્લાન? લંડનમાં ભારતીય કપલની ધરપકડ
I am Gujarat 19 Oct 2019, 2:34 pm