એપશહેર

દ્વારકા દર્શન કરવા જતા વડોદરાના કપલનું જામનગરમાં અકસ્માતે કમકમાટીભર્યું મોત

નવી કાર લઈને પરિવાર દ્વારકાધીશના દર્શને જઈ રહ્યો હતો, ત્યારે સાવડી ગામ નજીક અચાનક જ કૂતરું આડે આવતા કાર પલટી મારી હતી, જેમાં પતિ-પત્નીનું મોત થયું

I am Gujarat 17 Jan 2021, 3:08 pm
જામનગર: ટંકારા રોડ પર કાર અકસ્માતમાં પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું, જ્યારે 4 લોકોને ઈજાઓ થઈ હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માતમાં મોતને ભેટનાર દંપતી વડોદરાના હોવાનું સામે આવ્યું છે. કારમાં સવાર થઈને આ લોકો દ્વારકાધીશના દર્શન માટે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
I am Gujarat 16
પ્રતિકાત્મક તસવીર


કૂતરું આડે આવતા અકસ્માત સર્જાયો
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ ટંકારા જામનગર રોડ પર સાવડી ગામ પાસે હાઈવે પર નવી અર્ટિગા કાર લઈને પરિવાર દ્વારકાધીશના દર્શ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન સવારના સુમારે અચાનક કૂતરું આડે આવતા બ્રેક મારી હતી. જેના કારણે કાર પલટી મારી હતી, જેમાં વડોદરાના જગદીશભાઈ અને તેમની પત્ની રાધિકાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

મૃતક અને ઈજાગ્રસ્તના નામ
વિક્કી ચૌહાણ (મૃતક-પતિ)
રાધિકા ચૌહાણ (મૃતક- પત્ની)
આર્યબેન ચૌહાણ (ઈજાગ્રસ્ત)
અનિલ મોરી (ઈજાગ્રસ્ત)
દક્ષાબેન મોરી (ઈજાગ્રસ્ત)
ચંદનબેન મોરી (ઈજાગ્રસ્ત)

દ્વારકાધીશના દર્શને જતા અકસ્માત નડ્યો
કાર અકસ્માતમાં પરિવારના 4 લોકોને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિકોને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા, અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ વડોદરાનો પરિવાર ટંકારાના લતીપુર રોડ પર આવેલા સાવડી ગામ થઈને દ્વારકાધીશ જઈ રહ્યો હતો, ત્યારે રોડ પર કૂતરું આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેથી નવી કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું.

Read Next Story