એપશહેર

સુરતના માંગરોળમાં 12 તારીખથી 12 દિવસ સુધી 'સ્વયંભૂ લોકડાઉન' જાહેર

સ્થાનિક વહીવટી તંત્ર અને વેપારીઓ દ્વારા 12 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર સુધી જિલ્લામાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે

I am Gujarat 11 Sep 2020, 9:23 pm
સુરતઃ સુરત શહેર ઉપરાંત તાલુકાઓમાં પણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. હવે ગામડાઓ સુધી પણ કોવિડ-19નું સંક્રમણ પહોંચી રહ્યું છે. ગુજરાતમાં સરકાર દ્વારા લોકડાઉન ઉઠાવી લેવાયું હોવા છતાં પણ જ્યાં કેસ વધી રહ્યાં છે તેવી જગ્યાએ લોકો સ્વયંભૂ લોકડાઉનને અનુસરી રહ્યાં છે. સુરતના માંગરોણ તાલુકામાં સ્થાનીક સત્તાધીશો દ્વારા 12 સપ્ટેમ્બરથી 12 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે.
I am Gujarat 12 days lockdown in mangrol surat
સુરતના માંગરોળમાં 12 તારીખથી 12 દિવસ સુધી 'સ્વયંભૂ લોકડાઉન' જાહેર


ઉલ્લેખનીય છે કે માંગરોળમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. માંગરોળમાં અત્યાર સુધીમાં કોરોનાના 495 કેસ અને 18 લોકોના મોત થયા છે. કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને વેપારીઓ દ્વારા 12 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર સુધી જિલ્લામાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ લોકડાઉન દરમિયાન દુકાનો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે ત્યાર બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે જીવન જરૂરિયાની વસ્તુઓ જેમાં મેડિકલ અને દૂધ સહિતની સેવાઓ ચાલુ રાખવામાં આવશે.

Read Next Story