એપશહેર

સુરતમાં ઉંચા વ્યાજે રુપિયા ફેરવતા 12 લોકોની પોલીસે કરી ધરપકડ, આરોપીઓમાં AAPના નેતા પણ સામેલ

સુરત શહેર પોલીસે પાંડેસરા અને ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં એક ડ્રાઈવ હાથ ધરી હતી. લોકોને લોન આપીને ઉંચુ વ્યાજ વસૂલતા ખાનગી ફાઈનાન્સરો સામે પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. જેના ભાગરુપે 14 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો. બાદમાં પોલીસે કાર્યવાહી હાથ ધરીને 12 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓએ 19 લાખની સામે 37 લાખ વસૂલ્યા હતા.

Edited byમનીષ કાપડિયા | TNN 20 Dec 2022, 10:38 am

હાઈલાઈટ્સ:

  • સુરત શહેર પોલીસની ઝુંબેશ, ઉંચુ વ્યાજ વસૂલતા લોકો સામે તવાઈ
  • ઝુંબેશના ભાગ રુપે 14 સામે ગુનો નોંધાયો, 12 લોકોની પોલીસે ધરપકડ કરી
  • આરોપીઓમાં એક મહિલા અને એક આપના નેતાનો પણ સમાવેશ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 12 private financiers held in surat
સુરત પોલીસે ખાનગી ફાઈનાન્સરો સામેની જુંબેશના ભાગરુપે સોમવારે 14 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો
સુરતઃ કેટલાંક વ્યાજખોરો લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને ઉંચા વ્યાજે રુપિયા ફેરવતા હોય છે. જ્યારે મજબૂર વ્યક્તિ વ્યાજ ન ભરી શકે કે રુપિયા પરત ન કરી શકે ત્યારે તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. જે બાદ કેટલાંક લોકો તો આપઘાત કરે એવા કિસ્સા પણ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે આવા વ્યાજખોરો સામે સુરત પોલીસે તવાઈ બોલાવી છે. સુરત પોલીસે ખાનગી ફાઈનાન્સરો સામેની જુંબેશના ભાગરુપે સોમવારે 14 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો અને કાર્યવાહી હાથ ધરીને 12ની ધરપકડ કરી હતી.
19 લાખની સામે 37 લાખ વસૂલ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓએ ઉધાર રુપિયા લેનારાઓનને આપેલી 19 લાખની લોનની રકમ સામે રુપિયા 37 લાખ વસૂલ્યા હતા. જો કે, તેમની પાસે જે ચોપડા હતા તે દર્શાવે છે કે લોન ચૂકવાઈ નહોતી અને લોન લેનારાઓ પર લોન અને તેના પરનું વ્યાજ ચૂકવવાનું ચાલુ રાખવાનું દબાણ કરવામાં આવ્યું હતું. પાંડેસરા અને ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પોલીસ એવા પીડિતોને શોધી રહી છે કે જેમને ધમકી આપવામાં આવી હતી. બાદમાં તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સમાજના ડરથી નવજાત દીકરીને તરછોડીને જતી રહી માતા, અમદાવાદ પોલીસે બે જ કલાકમાં શોધી કાઢી
આરોપીઓમાં AAPના નેતાનો પણ સમાવેશ
આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ છે અને તેનું નામ કિરણ શાહ છે. જે કામરેજમાંથી ફાઈનાન્સ રેકેટ ચલાવતી હતી. જ્યારે અન્ય આરોપીઓમાં આમ આદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલનો પણ સમાવેશ થાય છે. જો કે, પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેર પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, ખાનગી ફાઈનાન્સરો લાઈસન્સ વિના આ કામ કરી શકે નહીં. નિયમો મુજબ, ફાઈનાન્સર 1.75 ટકાથી વધુ દરે વ્યાજ વસૂલી શકે નહીં. પરંતુ આ આરોપીઓ દર મહિને 6 ટકા જેટલું વ્યાજ વસૂલતા હતા.
ચોથા ધોરણમાં ભણતા છોકરા પર પાવડાથી તૂટી પડ્યો શિક્ષક, સ્કૂલના પહેલા માળથી નીચે ફેંકતા થયું મોત
વર્ષો સુધી લોન જ ભરતા રહે
તેઓએ આગળ જણાવ્યું કે, જે વ્યક્તિએ રુપિયા ઉધાર લીધા હોય અને મિનાના અંતે વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ જાય તો લોન આપનાર મૂળ લોનની રકમમાં એ રકમ ઉમેરી દેતા હતા. જેથી ઉધાર રુપિયા લેનારાને વર્ષો સુધી લોન ચૂકવવાનો વારો આવે છે અને તેઓ આ વ્યાજના ચક્રમાંથી ક્યારેય બહાર નીકળી શકે નહી. પોલીસે આ રીતે ગેરકાયદે ધંધો ચલાવતા ખાનગી ફાઈનાન્સરો સામે કાર્યવાહી કરવા માટે ઝુંબેશ શરુ કરી છે. ગેરકાયદે ધિરાણ પીડિતોને ત્રાસ અને બળજબરી વસૂલી તરફ દોરી જાય છે.
Read Latest Surat News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story