સુરતઃ સુરતમાં બનેલી ગોઝારી અકસ્માતની ઘટનામાં 15 મજૂરોનો જીવ ગયો છે. ફૂટફાથ પર ઊંઘતા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ચડી જવાના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. બે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મૃતકો અને ઘાયલોને સહાયની જાહેરાત કરવામાં આવી છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મજૂરો રાજસ્થાનના બાંસવાડાના જિલ્લાના હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ અકસ્માત 13 મજૂરોનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. આ ઘટનામાં ઘાયલ થયેલા મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હવે કુલ મૃત્યુઆંક 15 થયો છે.
આ અકસ્માત સર્જાયો ત્યારે મજૂરો પરિવાર ફૂટપાથ પર ઊંઘતો હતો.
આ ઘટના પર વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કરીને જણાવ્યું છે કે, "સુરતમાં ટ્રકના અકસ્માતના કારણે બનેલી ઘટના દુખદ છે. મારી પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના છે. આ ઘટના ઘાયલ થયેલા લોકો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું." PMO દ્વારા કરવામાં આવેલી ટ્વિટમાં પીએમ ફંડમાંથી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 2 લાખ રુપિયા અને ઘાયલોને 50,000 રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સુરતમાં બનેલી ગોઝારી ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. આ બનાવ અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ શોક વ્યક્ત કર્યો છે અને મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકોના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 2-2 લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઘટનામાં મૃત્યુ પામનારા મજૂરો રાજસ્થાનના છે ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીએ પણ શોક વ્યક્ત કર્યો છે તેઓ કહે છે કે, "મારા રાજસ્થાનના બાંસવાડાના શ્રમિકો સાથે બનેલી ઘટનાથી ભારે દુઃખ થયું છે, તેઓ ઊંઘમાં હતા અને સુરતમાં ટ્રક તેમના ઉપરથી ફરી ગયો. હું આ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, આ સાથે ઘાયલો જલદી સાજા થાય તેવી કામના કરું છું." આ સાથે તેમણે પણ મૃતકોને 2 લાખ અને ઘાયલોને 50,000 આપવાની જાહેરાત કરી છે.
સુરતના કામરેજ ડિવિઝનના ડીએસપી સીએમ જાડેજા જણાવે છે કે, "ટ્રક અને ટ્રક્ટર વચ્ચે અકસ્માત થયો હતો, જે પછી ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, આ પછી ફૂટપાથ પર ઊંઘતા મજૂરો પર તે ફરી વળ્યો હતો." આ ઘટનામાં ઘાયલ 6 લોકો સારવાર હેઠળ છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મજૂરો રાજસ્થાનના બાંસવાડાના જિલ્લાના હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ અકસ્માત 13 મજૂરોનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. આ ઘટનામાં ઘાયલ થયેલા મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હવે કુલ મૃત્યુઆંક 15 થયો છે.
આ અકસ્માત સર્જાયો ત્યારે મજૂરો પરિવાર ફૂટપાથ પર ઊંઘતો હતો.
આ ઘટના પર વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કરીને જણાવ્યું છે કે, "સુરતમાં ટ્રકના અકસ્માતના કારણે બનેલી ઘટના દુખદ છે. મારી પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના છે. આ ઘટના ઘાયલ થયેલા લોકો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું." PMO દ્વારા કરવામાં આવેલી ટ્વિટમાં પીએમ ફંડમાંથી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 2 લાખ રુપિયા અને ઘાયલોને 50,000 રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સુરતમાં બનેલી ગોઝારી ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. આ બનાવ અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ શોક વ્યક્ત કર્યો છે અને મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકોના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 2-2 લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઘટનામાં મૃત્યુ પામનારા મજૂરો રાજસ્થાનના છે ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીએ પણ શોક વ્યક્ત કર્યો છે તેઓ કહે છે કે, "મારા રાજસ્થાનના બાંસવાડાના શ્રમિકો સાથે બનેલી ઘટનાથી ભારે દુઃખ થયું છે, તેઓ ઊંઘમાં હતા અને સુરતમાં ટ્રક તેમના ઉપરથી ફરી ગયો. હું આ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, આ સાથે ઘાયલો જલદી સાજા થાય તેવી કામના કરું છું." આ સાથે તેમણે પણ મૃતકોને 2 લાખ અને ઘાયલોને 50,000 આપવાની જાહેરાત કરી છે.
સુરતના કામરેજ ડિવિઝનના ડીએસપી સીએમ જાડેજા જણાવે છે કે, "ટ્રક અને ટ્રક્ટર વચ્ચે અકસ્માત થયો હતો, જે પછી ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, આ પછી ફૂટપાથ પર ઊંઘતા મજૂરો પર તે ફરી વળ્યો હતો." આ ઘટનામાં ઘાયલ 6 લોકો સારવાર હેઠળ છે.