એપશહેર

સુરતઃ કોરોનાનો કહેર, વધુ પાંચ ડોક્ટર્સ સહિત હીરા ઉદ્યોગના 22 વ્યક્તિઓ સંક્રમણની ઝપેટમાં

Gaurang Joshi | I am Gujarat 12 Jul 2020, 9:27 pm

સુરતઃ ગુજરાતમાં કોરોનાનો ભરડો વધતો જ જઈ રહ્યો છે. રાજ્યમાં સતત ચોથા દિવસે 800 પાર કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 879 કેસો સામે આવ્યા છે. જેથી હવે કોરોનાનો કુલ આંકડો પણ 41906 થયો છે. જ્યારે વધુ 13 દર્દીઓના મૃત્યુ સાથે મૃત્યુઆંક પણ 2047 થયો છે. સુરતમાં પણ 12 જુલાઈની સાંજ સુધીમાં નવા 251 કેસ નોંધાયા છે. જ્યારે 3 દર્દીઓ મોતને ભેટ્યા છે. જોકે, કોવિડ-19નું સંક્રમણ ‘કોરોના વોરિયર્સ’ને પણ પોતાના ભરડામાં લઈ રહ્યું હોવાથી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

હીરા ઉદ્યોગના 22 વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં

I am Gujarat 22 persons from diamond industry and five more doctors tested corona positive in surat
સુરતઃ કોરોનાનો કહેર, વધુ પાંચ ડોક્ટર્સ સહિત હીરા ઉદ્યોગના 22 વ્યક્તિઓ સંક્રમણની ઝપેટમાં

સુરતમાં એક ડેન્ટલ સર્જન સહિત વધુ પાંચ ડોક્ટર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વધુ 22 વ્યક્તિઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં. જ્યારે અન્ય લોકોમાં બેકરીનો માલિક, કરિયાણાના દુકાનદાર, ઈલેક્ટ્રિક શોપ ચલાવતા દુકાનદાર, સુમુલ ડેરીનો એક કર્મચારી, એસએમસીના સેનેટરી ઈન્સ્પેક્ટર અને નવી સિવિલ હોસ્પિટલ સ્ટાફમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચોઃસુરતમાં કોરોનાના 205 અને અમદાવાદમાં 152 કેસ નોંધાયા

9 જુલાઈ સુધીમાં 131 ડોક્ટર્સ સંક્રમિત
અનલોક પછી ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં કોરોના વાયરસની મહામારીમાં ફ્રન્ટ લાઈન પર કામ કરતા ‘કોરોના વોરિયર્સ’ એવા ડોક્ટર્સ પણ વધુને વધુ સંક્રમિત થઈ રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર 9 જુલાઈ સુધીમાં શહેરમાં કુલ 131 ડોક્ટર્સ સંક્રમિત થયાં હતાં. આ પહેલા પણ IMA ગુજરાતના પ્રમુખ ડો.ચંદ્રેશ જરદોશે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે,’ડોક્ટર્સ દર્દીઓના કારણે અથવા તો વાતાવરણના કારણે સંક્રમિત થઈ રહ્યાં છે. કોવિડ-19 વોર્ડમાં ડોક્ટર્સ પીપીઈ પહેરે છે પરંતુ જ્યારે ડ્યૂટી ખતમ કર્યા બાદ તેઓ બહાર નીકળે છે ત્યારે પણ વાયરસના સંપર્કમાં આવ્યા હોય તેવું બની શકે.’

કાપડ માર્કેટ માટે પણ જાહેર થઈ છે નવી ગાઈડલાઈન
સુરતમાં પણ કોરોનાએ વિકરાળ રુપ ધારણ કર્યું છે. હીરાના કારખાનાઓ બંધ હોવાના કારણે રત્ન કલાકારો પણ શહેર છોડીને વતન જવા માટે રવાના થઈ રહ્યાં છે તો કાપડ માર્કેટ માટે પણ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે અનુસાર 100 દુકાનોવાળી માર્કેટમાં 2 કેસ, 500 દુકાનો ધરાવતી માર્કેટમાં 5 કેસ અને 500થી વધુ દુકાનોવાળી માર્કેટમાં કોરોનાના 10 કેસ નોંધાશે તો 14 દિવસ માટે માર્કેટને સીલ કરવામાં આવશે. ઉપરાંત ટેક્સટાઈલ માર્કેટ માટે પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો